________________
૨૬૧
પ્રેમી યુગલ. જાણ પ્રતિજ્ઞા લઉં છું કે તમારા વિના બીજા કોઈ પણ પુરૂષને મારા હૃદયમાં સ્થાન આપીશ નહિ, હિન્દુ અને જૈન શાસ્ત્રોને મેં જરૂરજોગ અભ્યાસ કરેલ હોવાથી હું એ પણ જાણું છું કે તમારા શાસ્ત્રકારોએ પુનર્જન્મના સિદ્ધાંતને માન્ય રાખેલ છે. અમારે ઈસ્લામ ધર્મ જો કે આ સિદ્ધાંતને માન્ય રાખતા નથી. અને તેથી એક ઈસ્લામી તરીકે મારે તેમાં પકિન રાખવું જોઈએ. તે પણ મારે તમારા તરફ જે પ્રેમ છે, તેને લઈને તમારી સન્મુખ જાહેર કરૂં છું કે જે પુનર્જન્મને સિદ્ધાંત અને હાય અને મૃત્યુ પછી કર્માનુસાર બીજે જન્મ ધારણ કરે પડ હોય, તે ભવિષ્યમાં હું અને તમે એકજ જાતિ અને એકજ ધર્મમાં જન્મીને પણ પ્રેમગ્રંથીથી જોડાઈને સુખી થઈ શકશે. ખુદાતલા મારી આ ઈચ્છાને પાર પાડે, એ છેવટની તેમના પ્રતિ અને કઈવાર પત્ર લખી મને યાદ કરશે, એવી તમારા પ્રતિ પ્રાર્થના છે. અસ્તુ
લી. શાહજાદી આરામબેગમ. વિજયે ઉપર્યુક્ત કાગળને બે-ત્રણ વાર વાંચો અને તેમાં લખેલી હકીકતથી તથા શાહજાદીને પોતાના પ્રત્યેને નિઃસીમ પ્રેમ જોઈને તે આશ્ચર્યમુગ્ધ થઈ ગયે. કાગળમાં છેવટે પિતાને કરેલી પ્રાર્થના મુજબ શાહજાદીને પત્ર લખે કે નહિ, તેના ગંભીર વિચારમાં તે પડી ગયા અને એટલે સુધી કે તેની પ્રિયતમા ચંપા તેની સન્મુખ આવીને ઉભી રહી, તે પણ તેને તેની ખબર પડી નહિ. ચંપાએ પિતાના પ્રિયતમને વિચારસાગરમાં ગોથાં ખાતાં નિહાળીને તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવાને માટે વિજયને ઉદ્દેશીને પૂછ્યું. શું વિચારી રહ્યા છે, નાથ?”
વિજયે ચંપાન મધુર સ્વર સંભાળીને ઘોર નિદ્રામાંથી જાગૃત થઈ મિત હાસ્યપૂર્વક કહ્યું. “પ્યારી! તું અહીં કેટલા સમયથી આવીને ઉભી છે?”
ચંપાએ હસીને જવાબ આપે. “પ્રિયતમ! મને અહીં આવ્યાને બહુ સમય થયો નથી. પરંતુ મારા આગમન પૂર્વે આપ શો વિચાર કરી રહ્યા હતા, તે હક્ત ન હોય તો કૃપા કરીને કહો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org