________________
સ્થિત્યંતર. હેવાથી તે રૂતુમાં પ્રેમીયુગના અધીર હૃદયે હર્ષથી પૂર્ણ થઈ જાય છે અને તેમનાં બધા વ્યવહારમાં પ્રેમનું સામ્રાજ્ય ઝળકતું જોવાય છે. પ્રેમી યુગલેનાં હદયની વાત તેમાં ચાલી રહેલી તાલા વેલીને માત્ર મનુષ્યજ સમજી શકતાં હોવાથી અમારૂં તત્સંબંધી કથન અસ્થાને છે, તેમ છતાં માનવહૃદયના સ્વાભાવિક સંદ્દગુણને પ્રત્યક્ષ દર્શાવવાની લાલચને અમે રોકી શકતા નથી. તવનિષ્ટ મનુષ્યએ સંસારને અસાર અને દુઃખમય જણાવેલ છે, એ અમે જાણીએ છીએ અને તેમના અનુભવગમ્ય વચનને અમે સ્વીકારીએ પણ છીએ, પરંતુ આ કહેવાતા અસાર અને દુઃખમય સંસારમાં સુખનું એક સાધન છે અને તે શુદ્ધ-નિર્મળ પ્રેમ છે. અગાધ એવા ભવસિંધુને સરલતાપૂર્વક તરી જવામાં પ્રેમ એ નાવ સમાન છે. પ્રેમનું રહસ્ય અદ્ભુત છે, અલૈકિક છે અને વર્ણનાતિત છે. જે માનનાં હૃદમાં પ્રેમનો જન્મ થયો હોય છે, તે માનવ ખરેખરા પૂજનીય અને વંદનીય બને છે એટલું જ નહિ, પણ તેઓ જગતમાં સએટ દાખલો બેસારી જવાની સાથે મનુષ્યનું કલ્યાણ પણ કરી જાય છે. આજકાલના યુગમાં પ્રેમની જે વાતે થાય છે અને પ્રેમનાં જે ચિત્રો જોવામાં આવે છે, તેને અમે મહત્તા આપતા નથી, કારણ પ્રેમનાં શુદ્ધ અને પવિત્ર નામને વર્તમાનમાં ઘણે ભાગે અશુદ્ધ અને અપવિત્ર બનાવી દીધું છે અને તેથી હાલના સમયમાં પ્રેમના નામે જે નાટક ચાલી રહેલું છે, તેને અમે મેહનું પ્રાબલ્ય જ ગણીએ છીએ. પ્રેમ અને મેહ એ બને જુદી જુદી વસ્તુ છે, પ્રેમ સદ્દગુણ છે, જ્યારે મેહ દુર્ગુણ છે, પરંતુ વર્તમાન સમયમાં મોહને જ પ્રેમનું નામ આપીને તેનાં ગુણાનુવાદ ગાવામાં કશી પણ મણું મૂકવામાં આવતી નથી. ભ્રાતૃભાવની, સમાજસેવાની, દયાની, સંપની અને પ્રેમની વાતે ઘણું થાય છે અને તે માટે પ્રયાસે પણ ઘણું થાય છેપરંતુ જેઓ સદરહુ વિષયની વાત કરી રહ્યા છે, તેમનાં હદયે તપાસ્યાં હોય, તે જ ખરી ખબર પડે કે તેઓનાં હદયોમાં પ્રેમને સ્થાન મળેલું છે કે નહિ. અમે ખાતરીપૂર્વક કહીએ છીએ કે હાલમાં જે પ્રેમની વાત થાય છે, તેને અર્થ કાંઈજ નથી. એટલું જ નહિ પણ પ્રેમના નામે મેહનું સામ્રાજ્ય પ્રસરતું જોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org