SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય હરિભક ૨૨૧ એમને તુરત જ બૌદ્ધ-વિહારમાં સ્થાન મળી ગયું. ભોજન માટે વિશાળ, દાનશાળા હતી. રહેવા માટે સુંદર નિવાસ હતા. બૌદ્ધ આચાર્ય ત્યાંના અધ્યાપક હતા, જેમનામાં વિદત્તાની સાથે સાથ. વાત્સલ્ય પણ હતું. હજારે વિદ્યાથીઓ તે બૌદ્ધ-વિહારમાં ભણતા. હતા. છૂપા વેશમાં રહેલ વ્યક્તિ પિતાને લાંબા સમય સુધી છૂપાવી ન શકે, ક્યારેક તે એની પોલ ખૂલી જ જાય છે. હંસ અને પરમહંસ બંને અભ્યાસમાં રત હતા. એમની તીવ્ર મેધાથી આચાર્ય ખૂબ જ પ્રભાવિત હતા. જ્યારે તેઓ સહ અધ્યયનમાં મગ્ન થઈ જતા ત્યારે બંને એકાંત શાંત સ્થળમાં બેસીને શીખેલા પાઠનું પુનરાવર્તન કરતા તથા બૌદ્ધ પ્રમાણશાસ્ત્રનાં દૂષણોની નોંધ કરતાં કરતાં જૈન તર્કોને પણ તેમાં સમાવેશ કરતા. એમને આ કાર્યક્રમ લાંબા સમય સુધી ચાલતો રહ્યો. તેઓ સંપૂર્ણ જાગૃત હતા. પરંતુ વિધિ-નિર્માણની પ્રબળતાને લીધે હંસ અને પરમહેસે લખેલાં પાનાં આંધી-તોફાનને લીધે ઊડી ગયાં. એમને આ બાબતની ખબર ન પડી. એ પાનાં બીજા વિદ્યાર્થીઓને મળ્યાં, પરંતુ તેઓ સમજી ન શક્યા કે જૈન અને બૌદ્ધ પ્રમાણશાસ્ત્રને લગતા આ તર્કોનું રહસ્ય શું છે તેઓ થોડા વિમાસણમાં પડ્યા. એમણે એ પાનાં આચાર્ય સમક્ષ રજૂ કર્યા, આચાર્યને એ સમજતાં વાર ન લાગી કે જેના પ્રમાણશાસ્ત્રના મજબૂત તેના આધારે આધારે આ પ્રમાણેને પરાજિત કરવાને આ પ્રયત્ન કરવામાં આવ્યો છે આચાર્યું જેના પ્રમાણ શાસ્ત્રનું ખંડન કરવા ઈચ્છયું, પરંતુ તેઓ એમ ન કરી શકથા. એમને ખાતરી થઈ કે જેન તર્ક વધુ શક્તિશાળી છે. એમ લાગે છે કે છૂપા વેશમાં કેઈ જેન અહીં અભ્યાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy