SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અજવાળાં થોડો સમય મૌન રહીને હંસ–પરમહંસે ખૂબ જ નમ્રતાથી વિનંતિ કરી : “આચાર્યપ્રવર ! અમે તે કારણ જાણવાની ઇચ્છા રાખીએ છીએ.” આચાર્ય હરિભદ્રનું વદન કમળ ગંભીર બની ગયું. તેઓ થોડી ક્ષણે સુધી વિચાર કરતા રહ્યા. છેવટે તેમણે કહ્યું : “મારું નિમિત્તશાસ્ત્ર કહે છે કે ત્યાં કંઈક ખરાબ બનવાની આશંકા છે. આથી તમે અહીં જ અભ્યાસ કરો.” હંસ-પરમહંસે કહ્યું : “ ગુરુદેવ! આપનું મંગલમય શુભનામ અમારે માટે અનિષ્ટનાશક મંત્ર છે. અમને દઢ વિશ્વાસ છે કે એની સામે કઈ જ પિન ઊભું રહી શકશે નહિ. આપ પ્રસન્નતાપૂર્વક અમને આશીર્વાદ આપ કે જેથી અમે જલદીથી સફળતા મેળવી પાછા ફરીએ. નિમિત્તશાસ્ત્ર અને શકુન શાસ્ત્રના આધારે વિચાર કરતાં આચાર્ય હરિભદ્રનું મન એમને આજ્ઞા આપતાં રેકી રહ્યું હતું. આ તરફ હંસ–પરમહંસની બાળ હઠ તુરત જ જવા માટે વ્યગ્ન થઈ રહી હતી. જ્યારે શિષો કોઈ પણ પરિસ્થિતિમાં રોકાવા માટે તૈયાર ન થયા તો નિમિતિને સ્વીકાર કરી હરિભદ્ર રૂધાયેલા કંઠે એમને આદેશ આવે. બંને મુનિ આચાર્યની આજ્ઞા અને આશિષ મેળવી ખૂબ જ છૂપી રીતે ત્યાંથી ચાલતા થયા. બીદ્ધ-વિહાર ઘણે દૂર હતે. દુર્ગમ પર્વત, ભયંકર જગલે અને વિષમ નદી પાર કરી તેઓ ત્યાં પહોંચ્યા. વિનયી સ્વભાવ અને વાક્યાતુર્યને લીધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy