SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ અતીતનાં અજવાળાં કરી રહ્યા છે. જો તેને પકડવામાં નહિ આવે તે તે બૌદ્ધ સંધને ખૂબ ઘાતક સાબિત થશે. આચાર્યની આંખેા લાલ થઈ ગઈ, એમની રક્તવાહિનીઓમાં વહેતાં લોહીને વેગ વધી ગયા. તેઓ મનમાં જ ગણગણ્યા : “ જોયું. આ લાકાનુ દુ:સાહસ ! છુપા–વેષમાં રહીને બૌદ્ધ–સધનુ આટલું ભયંકર અપમાન કરી રહ્યા છે. શું એને ખબર નથી કે અહીના રાજા બુદ્ધને પરમ ઉપાસક છે. જો તેને ખબર પડી જશે તે તે રાત્રુને સંપૂર્ણ નાશ કરશે.’ થોડી ક્ષણો સુધી આચાર્યં ચિંતન કરતા રહ્યા. છેવટે યુક્તિથી એમને ખબર પડી ગઈ. એમને મારી નાખવાને તેએ વિચાર કરતા જ હતા, ત્યાં હંસ અને પરમહંસ અને ત્યાંથી નાસી ગયા. એમના પીછે! કરવામાં આવ્યેા. હુંસને રસ્તામાં જ મારી નાંખવામાં આવ્યા. પરમહંસ રાજા સૂરપાલની મદદથી આચાર્ય હરિભદ્રની પાસે પહોંચ્યા તથા આચાર્યને વિતક કથા કહેતાં મૃત્યુ પામ્યા. આ બનાવથી બૌદ્ધો પ્રત્યે હરિભદ્રના મનમાં ક્રોધનો દાવાનળ સળગી ઊઠ્યો. તે વેર લેવા માટે રાજ સૂરપાલ પાસે ગયા. ત્યાં બોદ્ધોની સાથે એમને શાસ્ત્રાર્થ થયા. શાસ્ત્રામાં શરત એ હતી કે હારી જાય તેને ઊકળતી કડાઈમાં પડવું પડશે. પરાજિત થવાથી અનેક બૌદ્ધ પડિતાના પ્રાણાની આહુતિ આપવી પડી. જ્યારે આચાય જિનભદ્રસૂરિને એ વાત માલૂમ પડયુ ત્યારે એમણે શિષ્યા સાથે ગાથા મેકલી જેમાં એ જીવનું વર્ણન હતુ. એક ક્રોધને લીધે અનત સંસારમાં ભટકે છે અને બીજો ક્ષમા આપીને મુક્તિને વરે છે. આ ગાથા વાંચતાં જ એમનાં મનમાં પોતાના દુષ્કૃત્ય પ્રત્યે પદ્મતાપ થયો. ૧૪૪૪ બૌદ્ધોના નાશની જે ભયંકર સંકલ્પ તેમના મનમાં હતેા તેને ત્યાગ કરીને તેઓએ પ્રાયશ્ચિતરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy