SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ અતીતનાં અજવાળાં કોશાએ મુનિને પાઠ ભણાવવા માટે નેપાલ-નરેશ પાસે રહેલ રત્ન-કમળ લાવવા વિનંતિ કરી. મોહમાં અંધ બનેલા મુનિ વર્ષાવાસમાં જ નેપાળ પહોંચ્યા. રાજા પાસેથી રત્ન-કામળો લઈને પાછા ફરતા મુનિને રસ્તામાં ચરોએ ખૂબ દુઃખ આપ્યું. માર્ગનાં સેકડો કષ્ટોને સહન કરતા તેઓ ફરી પાટલિપુત્ર પહોંચ્યા. પ્રસન્નતાથી વેશ્યાને રત્નજડિત કામળો અર્પણ કર્યો. વેશ્યાએ રત્ન-કામને લઈને ગંદા પાણીની નીકમાં તેને ફેંકી દીધો. આ જોઈને સાધુ પિતાના ઉપર કાબૂ ગુમાવી બેઠે. તેમણે તિરસ્કારપૂર્ણ ગુસ્સાથી કહ્યું : “જે રત્ન-કામળો ખૂબ જ મુશ્કેલીથી મેળવાય છે તેને ગંદી નાલીમાં નાખતાં તને શરમ નથી આવતી ? વેશ્યાએ લાગલે જ જવાબ દીધો : “રત્નજડિત કામળાથી પણ વધુ કિંમતી સંયમ રન છે, તેને ક્ષણિક વાસના માટે ભંગ કરવાથી શું સંયમ રત્ન ગંદી નાકમાં નાખવા બરાબર નથી થતું ?” વેશ્યાના એક જ વાકથી સિંહ-ગુફાવાસી મુનિ ધ્રૂજી ઊઠ્યા. તેમને પિતાની ભૂલ સમજાઈ તેમને સદ્ગુરુદેવના કહેવાનું રહસ્ય જણાઈ ગયું. ગુરુદેવની પાસે જઈને તેમણે ક્ષમા માગી. આચાર્ય સ્થૂલિભદ્રનું મહત્ત્વ કામવિજેતા હોવાને લીધે જ નહિ, પરંતુ પૂર્વધારી હોવાને લીધે પણ રહ્યું છે. - વીર સંવત ૧૧૬ માં એમને જન્મ થયો. ત્રીસ વર્ષની ઉંમરે જ દીક્ષા લીધી. વીસ વર્ષ સુધી સાધારણ મુનિ તરીકે રહ્યા. અને પિસ્તાલીસ વર્ષ સુધી યુગપ્રધાન આચાર્યના પદ ઉપર ૯૯ વર્ષનું આયુષ્ય ભોગવીને વૈભારગિરિ પર્વત ઉપર પંદર દિવસના ઉપવાસ કરીને તેઓ વીર સંવત ૨૧૫માં સ્વર્ગે સિધાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy