SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શૂલિભદ્ર ૨૭૭ ગ્રહણ કરવા માટે સ્થૂલિભદ્રને વિનંતિ કરવામાં આવી, પરંતુ પિતાના અકાળ મૃત્યુને લીધે એમને વૈરાગ્ય ઊપજ્યો હતો. એમણે આચાર્ય સંભૂતિવિજય પાસેથી દીક્ષા ધારણ કરી લીધી. પહેલા વર્ષાવાસને સમય આવ્યું. સાથી મુનિઓમાંથી એકે સિંહની ગુફામાં ચાતુર્માસ કરવાની આજ્ઞા માગી, બીજાએ દષ્ટિવિષ સાપના દર ઉપર, ત્રીજાએ કૂવાની પાળ ઉપર અને સ્થૂલિભદ્ર કેશાની ચિત્રશાળામાં. ગુરુ પાસેથી આજ્ઞા મેળવીને સ્થૂલિભદ્ર કેશાના ભવ્ય મહેલ પર પહોંચ્યા. કોશા તે પિતાના પહેલાંના પ્રેમી સ્થૂલિભદ્રને જોઈને ખૂબ ખુશ થઈ. ચારે તરફ વાસનાનું વાતાવરણ હતું. કેશા ગણિકાના હાવભાવ અને ચેનચાળાથી પણ સ્થૂલિભદ્ર ચલિત ન થયા. પરંતુ છેવટે તેમના ત્યાગમય ઉપદેશથી તે જ શ્રાવિકા બની ગઈ વર્ષા–વાસ સમાપ્ત થતાં બધા જ શિષ્ય ગુરુચરણમાં પાછા ર્યા. ત્રણ શિનું “દુધકારક” તપસ્વી તરીકે આચાર્ય સંભૂતિવિજયે સ્વાગત છ્યું, સ્થૂલિભદ્ર પાછા ફર્યા ત્યારે ગુરુ સાત આઠ ડગલાં સામે ગયા અને “દુષ્કર-દુષ્કરકારક તપસ્વી” કહીને તેમનું સ્વાગત કર્યું. સિંહ ગુફાવાસી મુનિ આ જોઈને ભ પામ્યા. આચાર્યું બ્રહ્મચર્યની દુકરતા ઉપર પ્રકાશ નાખી એને સમજાવ્યું પરંતુ તેને લેભ દૂર ન થયો. બીજા વર્ષે સિંહ-ગુફાવાસી મુનિ કેશા વેશ્યાને ત્યાં પહોંચ્યા. વેશ્યાએ મુનિનું પારખું કરવા માટે જેવું કટાક્ષ બાણ છોડયું કે મુનિ ઘાયલ થઈ ગયા અને વ્રત ભંગ કરવા માટે તૈયાર થઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy