SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫રે અતીતનાં અજવાળાં તે આ ખજાને મળે ન મળત. આથી આપ આ ધન લઈ જાવ પરંતુ યુવક સહેજ પણ ન લલચાયો. છેવટે માળીના વધુ આગ્રહથી તેને વીસ હજાર મુદ્રાઓ લેવી જ પડી. એક દિવસ રોકાઈને યુવક આગળ વધે. વીસ હજાર મુદ્રાઓ તો તેની સાથે જ હતી. બીજે જે જન પૂરે થતાં જ સંન્યાસીની ઝૂંપડી આવી. અંદર પ્રવેશતાં જ સંન્યાસીએ પૂછ્યું : મારા કેયડાને ઉકેલ મળ્યો ?” યુવકે જવાબ દીધો : “જી હા. સંન્યાસી બન્યા પહેલાં આપ રાજા હતા. સંન્યાસ ધારણ કરતી વખતે પણ આપને ભાવિની ચિંતા હતી, આથી આપે સવા કરેડને એક કિંમતી હીરે આપની પાસે છુપાવી રાખ્યો છે. એ હીરાને લીધે જ આપનું મન એકાગ્ર થઈ શકતું નથી.' આટલા વખતમાં સંન્યાસીની આધ્યામિક ભૂખ ખૂબ જ તીવ્ર બની ગઈ હતી. હીરાની મમતા છૂટી ગઈ હતી. ઉપરનું યુવકનું કહેવું સાંભળતાં જ તેમણે તુરત હીરે કાઢીને તે યુવકને આપી દીધું અને પોતે ધ્યાનમાં લીન બની ગયા. ત્યાંથી યુવક આગળ વધ્યો અને ત્રીજે જ દિવસે વૃદ્ધાને ઘેર પહોંચે. ડેશી તેની જ રાહ જોઈ રહી હતી. તેણે પૂછયું : “બેટા ! જ્ઞાની પુરુષ પાસેથી મારી દીકરી વિષે કંઈ જાણું લાવ્યો ? ” યુવક બેલ્યો : “તમારી વાત હું કેવી રીતે ભૂલી શકું મા ! જ્ઞાની પુરુષના કહેવા અનુસાર તમારી ઈચ્છા હમણાં જ પૂર્ણ થઈ જશે. તમારી પુત્રીને હમણાં જ અહીં બોલાવો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy