SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અજવાળાં રાજા ભર્તુહરિએ ફળ લીધું અને તેના બદલામાં બ્રાહ્મણને પૂરતી દક્ષિણા આપી તેનું આર્થિક સંકટ કાયમ માટે દૂર કરી દીધુ. ભર્તુહરિ મહેલમાં જઈ અને જે ફળ ખાવા તૈયાર થયે ત્યાં જ તેને વિચાર આવ્યું કે આ અમરફળ ખાઈને હું અમર બની જઈશ તે મારી રાણીના -કે જેના વિના મને ક્ષણ પણ નથી ચાલતું તેના–મૃત્યુ પછી મારું લાંબું જીવન આવ. નીરસ બની જશે. આથી આ ફળ મારી પ્રિય રાણીને જ અર્પણ કરી દઉ જેથી તે લાંબા સમય સુધી જીવી શકે. ભર્તુહરિને પિતાના જીવન કરતાં રાણીનું જીવન વધુ કિંમતી લાગ્યું. ફળ લઈને રાજ પિંગળા રાણી પાસે ગયો. અને પિતાના હૃદયને પ્રેમ વ્યક્ત કરતાં તે રાણી પિંગળાને અર્પણ કર્યું.. રાણી તે ફળ મળતાં જ ખૂબ આનંદિત થઈ. પરંતુ તે તે બીજી એક વ્યક્તિ પર આસક્ત હતી. તેણે વિચાર્યું કે જે હું અમરફળ ખાઈને ચિરંજીવ બની જઈશ તે પછી મારે પ્રેમી હસ્તિપાલ એમ જ રહી જશે. રાણીને પોતાના કરતાં પણ હસ્તિપાલનું જીવન વધારે મહત્ત્વનું લાગ્યું. તેણે એ જ સમયે હરિત પાલને બેલા. અને પિતાને પ્રેમ દર્શાવતાં ફળ એને ભેટ આપ્યું. હસ્તિપાલ તે ખૂબ રાજી થયા અને તે ફળ પોતાના ઘેર લઈ ગયો. હસ્તિપાલની આસક્તિનું કેન્દ્ર રાણી નહિ પરંતુ ત્યાંની પ્રસિદ્ધ ગણિકા હતી. તેણે અમરફળ ગણિકાને આપવાનું નક્કી કર્યું. ફળ લઈને તે ગણિકાને ત્યાં ગયે અને આનંદ-વિનોદ કરતાં કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy