SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ખરિફ દેવીએ બ્રાહ્મણના હાથમાં એક ફળ મૂકતાં કહ્યું ઃ આ ફળ સાધારણ નથી. પણ આ તે અમરફળ છે. એને. ખાનાર વ્યકિત સદાને માટે અમર થઈ જાય છે. આટલું કહી દેવી અંતર્ધાન થઈ ગયાં. * * * બ્રાહ્મણને તે ધન જોઈતું હતું પણ ધનને બદલે મળ્યું અમરફળ. તેણે ફળ ખાવાની તૈયારી કરી, પરંતુ બીજી જ ક્ષણે તેને વિચાર આવ્યો કે, જે અમરફળ ખાઈને અમર બની જઈશ, તે આખી જિંદગી ગરીબીમાં ડૂબકાં ખાતે રહીશ. એના કરતાં તે એ પરોપકારી રાજા ભર્તુહરિને આપી દઉં એ જ ઉત્તમ છે. આમાં જનતાનું પણ ભલું થશે અને રાજા પ્રસન્ન થઈ મને જે ધન આપશે તેનાથી મારી ગરીબી પણ દૂર થશે.” તે જ સમયે તેણે રાજસભામાં જઈને અમરફળ રાજાને અર્પણ કર્યું. ભર્તૃહરિએ વિનોદ કરતાં કહ્યું : “બ્રાહ્મણ દેવતા ! મારે તમને દક્ષિણા આપીને સન્માન કરવું જોઈએ, પરંતુ ઊલટા આપ મને ભેટ આપી રહ્યા છે.” બ્રાહ્મણ બલ્ય : “રાજન ! આ સાધારણ ફળ નથી. ત્રણ દિવસની ઉપાસના અને સાધના પછી દેવીએ પ્રસન્ન થઈને એ મને આપ્યું છે. આ તે અમરફળ છે. હું તે ખાવા બેસતે જ હતે ત્યાં મને વિચાર આવ્યો કે હું તે ગરીબ છું, પછી શા માટે ધરતીને ભારરૂપ બનું. આપના જેવા પરોપકારી સમ્રાટ એ ખાશે તે જનતાનું લાંબા સમય સુધી કલ્યાણ થશે. આથી આપ તેને સ્વીકાર કરે અને મને આભારી કરશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy