SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અજવાળે છે | ગુપ્તચરો દ્વારા અસકરાજ પાસે જ્યારે આ સમાચાર ગયા ત્યારે પહેલેથી જ ગભરાઈ ઊઠેલે રાજા એ સમાચાર સાંભળતાં જ નિરાશ બની ગયે. મંત્રી ન દીસેને ખૂબ સમજાવ્યું પરંતુ રાજાના મન પર તેની કઈ જ અસર ન થઈ મંત્રી નદીસેન જાતે જ યોગીની ઝૂંપડીમાં ગયો અને બધી વાત પૂછી. યોગીએ સંવિસ્તર બધું કહ્યું. મંત્રીએ ફરીથી સવાલ કર્યો કે, “જીતનાર અને હારનાર માટે ક્યાં શુભ-અશુભ લક્ષણે હશે ?' યેગી બોલ્યા : “અસકરાજની સેનામાં સફેદ બળદ દેખાશે એ જ કલિંગરાજના વિજયનું કારણ બની રહેશે. એ જ રીતે કલિંગરાજને અસ્સકરાજની સેનામાં કાળા બળદ દેખાશે જે એના પરાજય માટે કારણરૂપ બનશે.” મંત્રી નંદીસેન પિતાની જગ્યાએ પાછો ફર્યો. પરંતુ તે નિરાશ ન થયો. તેણે એક હજાર ચુનંદા વીર સૈનિકોને પિતાની પાસે બેલાવ્યા અને કહ્યું : “ સાથીઓ ! સત્ય કહેજે. તમે સૌ આપણા રાજા માટે પ્રાણ અર્પણ કરવા તૈયાર છો ?” • સૌએ સંમતિસૂચક મસ્તક નમાવ્યું. નંદીસેને કહ્યું : “તે તમે રાજાના કલ્યાણ માટે આ પહાડ પરથી કૂદી પડો.” બધા આગળ વધ્યા પરંતુ નંદીસેને એમને રોક્યા, અને કહ્યું : હમણાં નહિ, પરંતુ સમય આવ્યે આત્મ-બલિદાન માટે તૈયાર રહેજે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy