SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વિરહમાં ૧૧૭ આવીને ઊભી રહી ગઈ આ તરફથી અસ્સારાજ પણ પિતાની સેના લઈને ત્યાં પહોંચી ગયે. યુદ્ધભૂમિ પાસે જ એક અનુભવી યોગીરાજની ઝૂંપડી હતી. કલિંગરાજ વેશ બદલીને મહાત્માજી પાસે ગયે અને પૂછયું : “ભગવદ્ ! યુદ્ધમાં કયા રાજાની જીત થશે ?” મહાત્માએ કહ્યું : “આ પ્રશ્નને સાચે ઉત્તર આજ નહિ પણ કાલે આપીશ.' રાત્રે મહાત્માએ દેવને આવાહન કરી બોલાવ્યા અને એ જ પ્રશ્ન પૂછો. દેવ બોલ્યા : “એમાં પૂછો છો શું? વિજય તે કલિંગરાજને જ થશે. યુદ્ધમાં અસ્સકરાજને કલિંગરાજની સેનામાં એક સફેદ રગ બળદ દેખાશે. એ બળદ જ તેની વિજયશ્રીનું કારણ બનશે. એ જ રીતે અસકરાજની સેનામાં કલિંગરાજને કાળા રંગને બળદ દેખાશે. જે મહાન અશુભ છે. એ જ તેના પરાજયનું કારણ બની રહેશે.” આટલું કહીને દેવ અંતર્ધાન થઈ ગયા. બીજે જ દિવસે કલિંગરાજે ગી–મહાત્માને પૂર્વવત ગુપ્ત આવીને પ્રશ્ન કર્યો. યોગીરાજે દેવની વાત દર્શાવી અને કહ્યું કે વિજય કલિંગરાજને જ થશે. કલિંગરાજ આનંદથી ઊછળતે કૂદતો પિતાના પડાવમાં આવ્યો અને ગીરાજની ભવિષ્યવાણી પિતાના સૈનિકોને કહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy