SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ E અતીતનાં અજવાળાં રાજ્યામાં રથ લઈને જાય અને રથની આગળ સૈનિકા એવી જાહેરાત કરે કે જે વ્યક્તિ પોતાને મરદ માનતે હાય તે આ કન્યાઓના રથને પોતાના મહેલમાં લઈ જઈ શકે છે. શરત માત્ર એટલી કે તેણે કલિંગરાજ સાથે યુદ્ધ કરવું પડે. શકય છે કે કોઈક મૂર્ખ રાજા એ માટે તૈયાર થઈ જાય.’ કલિ’ગરાજને એ યુકિત ખૂબ જ ગમી ગઈ. તેણે એ જ સમયે પોતાની કન્યાઓને રથમાં બેસાડીને રવાના કરી દીધી. કોઈ પણ જાતની અડચણ વિના રથ સતત આગળ વધતા રહ્યો. બધા જ કલિંગરાજથી ગભરાતા હતા. ફરતા ફરતા રથ અસ્સકરાજના નગર તરફ આગળ વધ્યા. અસકરાજે ભેટ-સોગાદ આપવા વિચાર્યું. પરંતુ મહામંત્રી નદીસેને કહ્યું : ‘રાજન્ ! પૌરુષહીન કહેવડાવવા કરતાં તો પુરુષાર્થ બતાવતાં મરવું બહેતર છે. આપ એમના શરણે ન જો, પરંતુ સન્માન સહિત રાજકુમારીએતે આપના મહેલમાં બોલાવી લે. ભવિષ્યમાં જે થશે તે જોયું જશે. લોકોને ખખ્ખર તે પડે કે હજી દુનિયામાં એક સાચો મ તા છે.’ '' ત્રી . ન દીસેનની પ્રાળ પ્રેરણાથી પ્રેરાઈને અસ્સકરાજે રાજકુમારીઓને પોતાના મહેલમાં મેલાવી લીધી અને કલિંગરાજને ખર મેકલી આપ્યા. લિગરાજ તે યુદ્ધ માટે પહેલેથી જ આતુર હતાં. એના હાંથ ખૂબ સળવળતા હતા. પોતાની વિરાટ સેના તૈયાર કરી તે અસકરાજ તરફ નીકળી પડો. લિંગરાજની સેના અસફરાજના રાજ્યની સીમા પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy