SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કલ્પસૂત્ર પલ્યોપમને આઠમો ભાગ જ્યારે શેષ રહે છે ત્યારે પ્રથમ કુલકરને જન્મ થાય છે અને ચોર્યાસી લાખ પૂર્વ ત્રણ વરસ અને સાડા આઠ માસ શેષ રહે ત્યારે પ્રથમ તીર્થકરને જન્મ થાય છે. ૨૧ ચોથા આરાનું નામ “દુષમ-સુષમ’ છે. તે બેતાલીસ હજાર વરસ ઓછાં, એક કોડાકોડ સાગરોપમને હોય છે. પ્રારંભમાં માનવની ઊંચાઈ પાંચસે ધનુષ્યની અને ઊતરતે આરે સાત હાથની હોય છે. પ્રારંભમાં કોડ પૂર્વનું આયુષ્ય અને અંતે સો વરસથી કાંઈક અધક હોય છે. આ આરામાં ત્રેવીસ તીર્થકર, અગિયાર ચક્રવત, નવ વાસુદેવ તથા નવા બળદેવ થાય છે. ૨૭ પાંચમા આરાનું નામ “દુષમ છે. તે એકવીસ હજાર વરસને હોય છે. તેમાં માનવનું આયુષ્ય પ્રારંભમાં એક સોથી કાંઈક અધિક વરસનું હોય છે અને અંતમાં વીસ વરસનું. પ્રારંભમાં સાત હાથની ઊંચાઈ હોય છે ૨૮ અને પછી ધીરે ધીરે ઓછી થતાં એક હાથની રહી જાય છે. આ આરામાં જન્મેલ વ્યક્તિ મેક્ષ મેળવી શક્તી નથી કારણ કે આ કાળે માનવસ્વભાવ અમર્યાદિત અને ઉર્જેબલ હોય છે. છઠ્ઠી આરાનું નામ “દુષમ-દુષમ છે. તે પણ એકવીશ હજાર વરસ હોય છે, તે આરાના પ્રારંભમાં માનવનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીશ વરસનું અને અંતિમ સમયે સોળ વરસનું હોય છે. પ્રારંભમાં એક હાથની ઊંચાઈ ધીમે ધીમે મૂઠી વાળેલા હાથે જેટલી રહી જાય છે. આ આરામાં જમીન અંગારા સમાન તપેલી હોય છે. માનવ કુરૂપ, નિર્લજ્જ, કપટી અને અમર્યાદિત સ્વભાવવાળા હોય છે. તે બેંતેર જાતનાં બિલોમાં નિવાસ કરે છે. ૨૯ આ પ્રમાણે અવસર્પિણી કાળના છ આરા પૂરાં થયા પછી ઉત્સર્પિણી કાળ શરૂ થાય છે. તેમાં દુષમ-દુષમ. દુષમ, દુષમ-સુષમ, સુષમ-૬ષમ, સુષમ અને સુષમ-સુષમ આરા હોય છે. ઉત્સર્પણી કાળમાં ક્રમશઃ ઉત્તરોત્તર સુખ વગેરેની અભિવૃદ્ધિ થાય છે. ૩૦ પ્રત્યેક કાળચક્રાર્ધમાં વીસ તીર્થકર થાય છે. ભગવાન મહાવીરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy