SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ કલ્પસૂત્ર કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું (૫) તથા સ્વાતિ નક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણને પ્રાપ્ત થયા (૬) ૧. " વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ત્રણ શબ્દ ચિંતનીય છે. “સમણે “ભગવં” અને “મહાવીરે.” આચારાંગ અને કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના ત્રણ નામ આવે છે, તેમાં બીજું નામ “સમણુ” છે. “સમણ શબ્દના સમને “સમસ” અને “શ્રમણ એવાં ત્રણ સંસકૃત રૂપ બને છે. બધા જીવોને આત્મતુલ્ય દષ્ટિથી જેનારા તે સમતાયેગી “સમન” કહેવાય છે. રાગદ્વેષ રહિત મધ્યસ્થ વૃત્તિવાળા સમનસ્ અથવા “સુમનસ” કહેવાય છે. “સમન” ના સ્થાને સુમનસ” ને પ્રયોગ જોવા મળે છે તેને અર્થ છે –“જેનું ચિત્ત સદા કલ્યાણકારી કાર્યોમાં ચોંટેલું રહે, મનથી ક્યારેય પાપનું ચિંતન કરતા ન હોય તેને “સમનસ્' અથવા “સુમનસ” કહેવામાં આવે છે. તપસ્યાથી ખિન્ન ૮ –ક્ષીણુકાય તપસ્વીને “શ્રમણ’ « કહેવાય છે. સમભાવ પ્રકૃતિ સદ્દગુણથી સંપન્ન હોવાથી ભગવાન શ્રમણ કહેવાય છે. ભગવાનમાં ‘ભગ’ શબ્દનો પ્રયોગ ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી ધર્મ અને પ્રયત્ન એ છએ અર્થોમાં થાય છે. ૧૦ જેના યશ વગેરેને મહાન વિસ્તાર થાય છે તેને ભગવાન કહે છે. ૧ યજુર્વેદ (૧૫/૩૮) ના પ્રસિદ્ધ ભાષ્યકાર આચાર્ય ઉવટે પણ ‘ભગ’ શબ્દને એવો જ અર્થ માન્ય કરેલ છે, બૌદ્ધ ગ્રન્થોના અનુસાર ભગવાન શબ્દની વ્યુત્પત્તિ એમ જ છે, કે જેમના રાગ શ્રેષ, મોહ અને આશ્રવ ભગ્ન-નષ્ટ થઈ ગયા હોય તેને ભગવાન કહે છે. ૧૨ મહાવીર-યશ અને ગુણેમાં મહાન વીર હોવાથી ભગવાન મહાવીર કહેવાયા. ૧૭ જે શર-વિક્રાંત હોય છે તેને વીર કહે છે, કષાયાદિ મહાન શત્રુઓને જીતવાથી ભગવાન મહા વિક્રાંત - મહાવીર કહેવાયા. ૪ આચારાંગમાં કહેલ છે-“ભયંકર ભય-ભૈરવ તથા અચેલકતા વગેરે કઠિન તથા ઘેરથી પણ ઘેર પરિષહોને દઢતાપૂર્વક સહન કરવાના કારણે દેવોએ તેમનું નામ મહાવીર રાખ્યું પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy