SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર રાજપિંડના નિષેધ પાછળ અન્ય અનેક તથ્ય રહેલ છે. જેને ઉલ્લેખ નિશીથભાષ્ય અને ચૂર્ણિમાં કરવામાં આવેલ છે. રાજભવનમાં મુખ્યપણે સેનાપતિ વગેરેનું આવાગમન રહે, કયારેક શીઘતા વગેરેના કારણે શ્રમણને ધક્કા લાગવાની કે પાત્ર વગેરે ફૂટવાની સંભાવના પણ રહે, કોઈ વિશિષ્ટ કાર્ય માટે જતાં સાધુને જોવાથી તેઓ તેને અપશુકન પણ સમજી લે ૪૧ –આવા કારણોથી રાજપિંડ અગ્રાહ્ય તથા અષણીય માનેલ છે તથા તે ગ્રહણ કરવો તેને અનાચાર કહેલ છે. ૪૨ ભગવાન મહાવીર અને ઋષભદેવના શ્રમને માટે જ રાજપિંડને નિષેધ છે પરંતુ બાવીસ તીર્થકરોના શ્રમણ માટે નહિ૪૩ રાજપિંડથી અભિપ્રાય છે ચાર જાતના આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ-એ આઠ વસ્તુઓ અને તે આઠેય અગ્રાહ્ય માનેલ છે. ૪૪ * કૃતિકર્મ કૃતિકર્મને અર્થ છે પિતાનાથી સંયમાદિમાં જયેષ્ઠ અને સગુણોમાં શ્રેષ્ઠ શ્રમણનું ઊભા થઈને હૃદયથી સ્વાગત કરવું, તેમનું બહુમાન કરવું, તેમની હિત શિક્ષાઓને નત મસ્તકે શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરવો. ૪૫ ચોવીસેય તીર્થકરોના શ્રમણે પિતાનાથી ચારિત્રમાં જ્યેષ્ઠ શ્રમણોને વંદન નમસ્કાર કરે છે. આ કલ્પ સાર્વકાલિક છે. ૪૬ –વ્રત વ્રતનો અર્થ છે વિરતિ. છ વિરતિ અસત પ્રવૃત્તિની હોય છે. અકરણ, નિવૃત્તિ, ઉપરમ અને વિરતિ આ બધા કાર્યવાચી શબ્દ છે. ૪૮ વ્રત શબ્દનો પ્રયોગ નિવૃત્તિ અને પ્રવૃત્તિ બંને અર્થોમાં થાય છે. જેમ કે:“વૃષલાનં વ્રતયતિ” અર્થાત્ તે શુદ્રના અન્નને પરિહાર કરે છે. “પ. વ્રતયતિ'' અર્થાત તે માત્ર દૂધ પીએ છે, તે સિવાય બીજુ કાંઈપણ ખાતે નથી. આ પ્રમાણે અસત પ્રવૃત્તિનો પરિવાર અને સતમાં પ્રવૃત્તિ એ બંને અર્થોમાં વ્રત શબ્દને પ્રયોગ થયેલ છે. ૪૯ ભગવાન શ્રી મહાવીર અને ઋષભદેવના શ્રમણ પાંચ મહાવ્રતરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy