SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કલપસૂત્ર શ્રમણ સંસ્કૃતિમાં શ્રમણો માટે બે જાતના કલ્પ વિહિત થયેલા છે-જિનકલ્પ અને સ્થવિરકલ્પ. નિર્યુક્તિ અને ભાષ્ય અનુસાર જિનકપી શ્રમણ તે હોય છે કે જે વજષભનારા સંહનનવાળા હોય તથા ઓછામાં ઓછા નવમા પૂર્વની તૃતીય આચારવસ્તુના મૃતપાઠી હોય અને વધુમાં વધુ કંઈક ન્યૂન દસ પૂર્વ સુધીના મૃતપાઠી હોય. * જિનકલ્પી શ્રમણ પણ પહેલાં વિકલ્પી જ હોય છે. સ્થવિરક૯પી શ્રમણ જ જિનકલ્પનો સ્વીકાર કરે છે. જિનકલ્પી શ્રમણ નગ્ન, નિષ્પતિકર્મ અને વિવિધ અભિગ્રહધારી હોય છે. તેના બે પ્રકાર છે. (૧) પાણિપાત્ર-હાથમાં ભેજન કરવાવાળા. (૨) પાત્રધારી– પાત્રમાં ભેજન કરવાવાળા. પાણિપાત્ર જિનકલ્પી શ્રમણ પણ ઉપધિની દૃષ્ટિથી ચાર જાતનાં હોય છે. કેટલાક શ્રમણ મુખવસ્ત્રિકા અને રજોહરણ –એ બે ઉપાધિ રાખે છે. કેટલાક શ્રમણ મુખવસ્ત્રિકા, રજોહરણ અને એક વસ્ત્ર રાખે છે. કેટલાક શ્રમણ મુખવસ્ત્રિકા રજોહરણ અને બે વસ્ત્ર રાખે છે, અને કેટલાક શ્રમણ, મુખવસ્ત્રિકા રજોહરણ તથા ત્રણ વસ્ત્રો રાખે છે. પાત્રધારી જિનકલ્પી શ્રમણ પણ બે, ત્રણ, ચાર કે પાંચ ઉપકરણો સિવાયના સાત જાતના પાત્ર-નિર્યોગ રાખવાને લીધે અનુક્રમે નવ, સિવાય દશ, અગીઆર અને બાર જાતની ઉપાધિથી તેમના પણ ચાર ભેદ થાય છે, એ રીતે જિનકદિપક શ્રમણોના મુખ્ય બે અને ઉત્તરભેદ આઠ થાય છે. આગમ અનુસાર સ્થવિરક૯પી શ્રમણોના ઉપધિની દષ્ટિએ અનેક ભેદ કરી શકાય છે. કેટલાક શ્રમણે ત્રણ વસ્ત્ર અને એક પાત્ર રાખતા હતા. કેટલાક શ્રમણે બે પાત્ર અને એક વસ્ત્ર રાખતા તો કેટલાક શ્રમણા એક પાત્ર અને એક વસ્ત્ર રાખતા હતા. ઉપરની ચર્ચાને સાર એ છે કે જિનકલ્પી હોય કે સ્થવિરકલ્પી, તેઓ ઓછામાં ઓછા મુખવસ્ત્રિકા અને રજોહરણ એ બે ઉપકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy