SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ કલ્પસૂત્ર ચિંતનમગ્ન થઈ ગયા. ભરતને મારવા માટે ઉપડેલો હાથ ભરત ઉપર નહિ પડતાં પિતાના શિર ઉપર પડયે અને લોચ કરીને શ્રમણ બની ગયા. રાજ્યને ઠોકર મારીને પિતાના ચરણચિહને ઉપર ચાલી નીકળ્યા. ૨૪ – * બાહુબલીને કેવળજ્ઞાન: બાહુબલીના પગ ચાલતાં ચાલતાં અટકી ગયા. તેઓ પિતાના શરણમાં પહોંચવા છતાં પણ ચરણમાં ન પહોંચી શક્યા. પૂર્વે દીક્ષિત નાના ભાઈઓને નમન કરવાની વાત સ્મૃતિમાં આવતાં જ તેમનાં ચરણ એકાંત – શાંત જંગલમાં જ સ્તબ્ધ થઈ ગયાં. અસંતોષ ઉપર વિજય મેળવનારા બાહુબલી અસ્મિતાથી પરાજિત થઈ ગયા. એક વરસ સુધી હિમાલયની માફક અડોલ ધ્યાન-મુદ્રામાં અવસ્થિત રહેવા છતાં પણ કેવળજ્ઞાનને દિવ્ય પ્રકાશ પ્રાપ્ત ન થઈ શકે. શરીર ઉપર લતા-વેલો ચડી ગઈ. પક્ષીઓએ માળા બાંધી દીધા તથાપિ સફળતા મળી શકી નહિ, કેવળજ્ઞાન ન થયું. ૫ હાથી ઉપર આરૂઢ થયેલ વ્યકિતને કદી કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થતી નથી તેથી ભાઈ! હાથી ઉપરથી નીચે ઊતરે” એવા શબ્દો એક દિવસ બાહબલીના કાનમાં પડ્યા. બાહબલીએ ચિંતન કર્યું - હ" હાથી ઉપર ક્યાં આરૂઢ છું? પછી વિચારધારાએ વળાંક લીધો, નેત્ર ખેલ્યાં, સામે વિનીત મુદ્રામાં ભગિનીઓને નિહાળતાં વિચારમગ્ન થઈ ગયા. હું વ્યર્થ અભિમાનના હાથી ઉપર ચડ્યો હતો. હું અવસ્થાના ભેદમાં ફસાઈ ગયે, તે ભાઈઓ ઉમરમાં મારાથી ભલે નાના હોય પણ ચારિત્ર્યની દૃષ્ટિથી તે મોટા છે. મારે નમન કરવું જોઈએ.’ નમન કરવા માટે જેવા પગ ઊપડ્યા કે ત્યાં જ બંધન તૂટી ગયા. વિનયે અહંકારને શાંત કરી દીધે. બાહુબલી ત્યાં જ કેવળી બની ગયા, ભગવાન શ્રી ઋષભદેવને નમન કરી, કેવળી પરિષદમાં આવીને તેમનામાં ભળી ગયા. ૧૬ ભરતને કેવલ્યઃ રાજનૈતિક અને સાંસ્કૃતિક એક્તાને માટે ભરતે ભાઈઓની સાથે જે વ્યવહાર કર્યો હતો તેથી તેઓ પોતે લજજા અનુભવતા હતા. ભાઈઓને ગુમાવીને રાજ્ય પ્રાપ્ત કરવા છતાં પણ તેના માનસમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy