SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ધર્મ ચક્રવર્તી: ૨૮૯ ભૂખ-તરસથી પીડિત થઈને કયાંક કષ્ટોને સહન કરતો હશે!” પુત્રપ્રેમથી તેમની આંખો છલકાઈ ઊઠી. ભરત દ્વારા તીર્થકરોની દિવ્ય વિભૂતિનું વર્ણન સાંભળવા છતાં પણ માતાના હૃદયને સંતોષ ન હતા. સમવસરણની પાસે પહોંચતા જેવા ભગવાન ઋષભને ઈંદ્રો દ્વારા પૂજાતા જોયા, તે જ માતાના ચિંતનનો પ્રવાહ વધતો ગયો. આર્તધ્યાનમાંથી શુકલધ્યાનમાં લીન થઈ ગયાં. ધ્યાનનો ઉત્કર્ષ આગળ વધ્યો. મેહનીય કર્મનું બંધન તૂટ્યું અને પછી તરતજ જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અંતરાય નષ્ટ થતાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી લીધાં. તેજ ક્ષણે બાકીનાં અઘાતી ચાર કર્મો નષ્ટ થતાં હાથી ઉપર આરૂઢ થયેલાં તેઓ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ગયાં. તે કેટલાક આચાર્યોને એવો પણ અભિમત છે કે ભગવાનના શબ્દો તેમના કાનમાં પડવાથી તેમને આત્મજ્ઞાન થયું અને પછી તરત જ મુક્તિ પ્રાપ્ત થઈ. ૮ પ્રસ્તુત અવસર્પિણી કાળમાં સર્વ પ્રથમ કેવળજ્ઞાન શ્રી ઋષભદેવને પ્રાપ્ત થયું અને મોક્ષ મરદેવી માતાને. — * પ્રથમ ધર્મચક્રવતી ! ભગવાન 2ષભદેવનું પ્રથમ પ્રવચન ફાગણ વદ ૧૧નું થયું. તે સાંભળીને સમ્રાટ ભારતના પાંચસો પુત્ર અને સાત પત્રએ તથા બ્રાહ્મી વગેરેએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ભરત વગેરેએ શ્રાવકવ્રત ગ્રહણ કર્યા અને સુંદરી પણ શ્રાવિકા બની. ૦૩ આ રીતે શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ તીર્થની સંસ્થાપના કરીને તેઓ સર્વપ્રથમ તીર્થકર બન્યા. શ્રમણ ધર્મને માટે પાંચ મહાવ્રત અને ગૃહસ્થ ધર્મને માટે બાર વ્રતોનું નિરૂપણ કર્યું. તેથી જ ભગવાન ઋષભદેવને ધર્મનું મુખ કહેલ છે. ૨૪ ભગવાનના પ્રથમ ગણધર સમ્રાટ ભરતના પુત્ર ઋષભસેન થયા. તેમણેજ સર્વપ્રથમ ભગવાને આત્મવિદ્યાનું પરિજ્ઞાન કરાવ્યું. ભગવાનને કેવળજ્ઞાનની સૂચના મળતાંજ પૂર્વે દીક્ષિત થયેલા શ્રમણો કે જેઓ સુધા-પિપાસાથી પીડિત થઈને તાપસ બની ગયા હતા, તેઓ ભગવાનની સેવામાં આવી ગયા. તેમણે પુન: વિધિવત પ્રવ્રજ્યા ગ્રહણ કરી. માત્ર કચ્છ અને સુકચ્છ જ એવા હતા કે જેઓ આવ્યા નહિ. ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy