SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ રાજા : * ખાદ્ય સમસ્યાનું સમાધાન ઋષભદેવની પહેલાં માનવાના આહાર કંદ, મૂળ, પત્ર, પુષ્પ અને ફળ હતા. પરંતુ જનસ`ખ્યાની અભિવૃદ્ધિ થવાથી કર્દમૂળ પર્યાપ્તમાત્રામાં ઉપલબ્ધ ન થવાથી માનવેાએ અન્નાદિ (કાચું અન્ન)ના ઉપયોગ શરૂ કર્યા, પરંતુ પકાવવાનુ સાધન ન હેવાથી કાચું અન્ન દુખ્યુ થવાથી લાકા ઋષભદેવની પાસે પહોંચ્યા અને તેમની પાસે પેાતાની સમસ્યાનું સમાધાન માગ્યું. ઋષભદેવે હાથથી મસળીને ખાવાની સલાહ આપી, જ્યારે તે પણ દુષ્પચ (પચવું ભારે ) થઈ પડયું ત્યારે પાણીમાં ભીંજાવીને અને મુઠ્ઠી કે બગલમાં રાખીને ગરમ કરી ખાવાના ઉપાય બતાવ્યા, તેથી પણ અજીની વ્યાધિ સમાપ્ત ન થઈ. ૨૮૩ ભગવાન શ્રી ઋષભદેવ અગ્નિના સંબંધમાં જાણતા હતા પરંતુ તે કાળ એકાન્ત સ્નિગ્ધ હતા તેથી અગ્નિ ઉત્પન્ન થઈ શકતા ન હતા. અગ્નિની ઉત્પત્તિ માટે એકાન્ત સ્નિગ્ધ અને એકાન્ત રુક્ષ બન્ને કાળ નિરૂયેાગી હેાય છે. સમયની પ્રગતિ આગળ વધી, જ્યારે કાળ સ્નિગ્ધથી ક્ષ (સૂકા) થયા ત્યારે લાક્ડાંનાં ઘર્ષણથી અગ્નિ પેદા કરી અને પાક નિર્માણ કરીને તથા પાકવિદ્યા શીખવાડીને ખાદ્ય સમસ્યાનું સમાધાન કર્યું", ૧૮ કળાનુ અધ્યયન જંબુદ્રીપજ્ઞપ્તિની વૃત્તિ અનુસાર સમ્રાટ્ ઋષભદેવે પેાતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને ખાંતેર કળા અને કનિષ્ઠ પુત્ર બાહુબલીને પ્રાણી લક્ષણનુ જ્ઞાન કરાવ્યું”, પ્રિયપુત્રી બ્રાહ્મીને અઢાર લિપિએનું અધ્યયન કરાવ્યું અને સુંદરીને ગણિતવિદ્યાનું પરિજ્ઞાન કરાયું, ૧૯ વ્યવહાર સાધન હેતુથી માન (માપ), ઉન્માન (તાલા માસા વગેરે વજન), અવમાન (ગજ ફ્રૂટ ઈંચ), પ્રતિમાન (નવટાંક, શેર, મણ વગેરે) પ્રચલિત કર્યા અને મણિ વગેરે પરાવવાની કળા બતાવી. આ પ્રમાણે સમ્રાટ્ ઋષભદેવે પ્રજાના હિત માટે, અભ્યુદય માટે પુરુષાને માંતેર કળાએ સ્રીઓને ચેાસઠ કળાઓ અને બધાં શિલ્પાનુ પરિજ્ઞાન કરાવ્યું. અસિ સિ અને કૃષિ (સુરક્ષા, વ્યાપાર, ઉત્પાદન) ની વ્યવસ્થાની કળાનું નિર્માણ કર્યું", પ્રવૃત્તિના વિકાસ કરીને જીવનને સરસ, શિષ્ટ અને વ્યવહાર યાગ્ય બનાવ્યુ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy