SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ કલ્પસૂત્ર લક્ષ્યમાં રાખી નગરનું નામ “વિનીતા” રાખ્યું. પ૫ તેનું બીજું નામ અધ્યા પણ છે. પફ તે પ્રાન્તનું નામ “વિનીતભૂમિ” પછ અને “ઈકબાગ, ભૂમિ પર પડયું. થોડા વખત પછી તે મધ્યદેશના નામથી વિખ્યાત થયું. પ૯ – રાજ્યવ્યવસ્થાનો વિકાસ - રાજા બન્યા પછી ઋષભદેવે રાજ્યની સુવ્યવસ્થા હેતુથી આરક્ષક દલની સ્થાપના કરી. જેમના અધિકારી “ઉગ્ર કહેવાયા. મંત્રીમંડળ બનાવ્યું, જેના અધિકારી “ભેગ' નામથી પ્રસિદ્ધ થયા. સમ્રાટના પાસેના માણસે કે જે પરામર્શપ્રદાતા હતા તેઓ “રાજન્ય' ના નામથી વિખ્યાત થયા અને અન્ય રાજકર્મચારી ક્ષત્રિય” નામથી જાણીતા થયા. રાજ્યના સંરક્ષણ માટે ચાર પ્રકારની સેના અને સેનાપતિઓનું નિર્માણ કર્યું. આ સામ, દામ, દંડ અને ભેદનીતિનું પ્રચલન કર્યું. ચાર પ્રકારની દંડ વ્યવસ્થા – (૧) પરિભાષ (૨) મંડલબંધ (૩) ચારક અને (૪) છવિચ્છેદ ૨ નું નિર્માણ કર્યું. પરિભાષ: થોડા વખત માટે અપરાધી વ્યકિતને કઠોર શબ્દો કહી નજરકેદ તરીકે રાખી દંડ આપવો. મંડલબંધ: મર્યાદિત ક્ષેત્રમાં રહેવાને દંડ આપ. (એક જાતની નજરકેદ) ચારક બંદીગૃહમાં બંધ કરીને દંડ આપવો. (કારાવાસ) છવિચ્છેદ હાથ, પગ વગેરે અંગોપાંગના છેદનને દંડ આપો. આ ચાર નીતિઓ ક્યારે શરૂ થઈ તે વિશે વિદ્વાનોને વિભિન્ન મત છે. કેટલાક વિદ્વાનનું મંતવ્ય છે કે પ્રથમ બે નીતિઓ ષભના સમયે ચાલી અને બે ભારતના સમયે, 3 આચાર્ય અભયદેવના મન્તવ્યાનુસાર આ ચારેય નીતિઓ ભરતના સમયમાં ચાલી. ૧૪ આચાર્ય ભદ્રબાહુ ૧૫ અને આચાર્ય મલયગિરિજ ના અભિમતાનુસાર બંધ (બેડીને પ્રયોગો અને ઘાત (ઇંડાના પ્રયોગ) ઋષભનાથના સમયે પ્રારંભ થઈ ગયા હતા. મૃત્યુદંડને પ્રારંભ ભરતના સમયમાં થયે. ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy