SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ કલ્પસૂત્ર કર્યું તે માંસમાંથી કૃમિઓ નીકળી ગઈ. ત્રીજી વારના મર્દનથી અસ્થિગત કૃમિઓ નીકળી ગઈ. ત્યાર પછી ગશીર્ષ ચંદનને લેપ કર્યો જેને લીધે મુનિ પૂર્ણ સ્વસ્થ થઈ ગયા. છએ મિત્રો મુનિની સ્વસ્થતા જોઈને ઘણુજ પ્રમુદિત થયા. છએ મિત્રોને સંસારથી વિરક્તિ થઈ. તેઓએ દીક્ષા ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ તપસાધના કરી. (૧૦) બારમા દેવલેકમાં- ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને બારમા અમ્રુત દેવલોકમાં તેઓ ઉત્પન્ન થયા. (૧૧) વજાનાભ - છવાનંદને જીવે ત્યાં આયુષ્ય પૂર્ણ કરી પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી નગરીના અધિપતિ વાસેન રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. માતાએ ચૌદ મહાસ્વપ્ન દેખ્યાં. જન્મ થતાં પુત્રનું નામ વજાનાભ રાખવામાં આવ્યું. પૂર્વના પાંચેય સાથીઓમાંથી ચાર તે અનુક્રમે બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ તેમના ભાઈ થયા અને એક તેમને સારથિ થયે. વજનાભને રાજ્ય આપીને વજાસેને સંયમ ગ્રહણ કર્યું અને ઉત્કૃષ્ટ સંયમસાધના કરીને કૈવલ્ય પ્રાપ્ત કર્યું, તેઓ તીર્થકર બન્યા. સમ્રાટ વજાનાભે પણ ચક્રરત્ન ઉત્પન્ન થતાં ષખંડને વિજ્ય કરીને ચક્રવતી પદ પ્રાપ્ત કર્યું. દીર્ધકાળ સુધી પખંડનું રાજ્ય કર્યું અને અંતે પિતા વજાસેનના ઉપદેશપ્રદ પ્રવચન સાંભળીને વિરક્તિ થઈ, આગમનું ગંભીર ચિંતન, મનન કર્યું. ઉત્કૃષ્ટ તપની સાધના કરી તેથી અનેક ચમત્કારવાળી લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તીર્થકર નામકર્મનું ઉપાર્જન કર્યું. અંતમાં માસિક સંખનાપૂર્વક પાદપગમન સંથારો કરી, સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. અહીં યાદ રાખવું જોઈએ કે વજાનાભના બાકીના ચારેય નાના ભાઈઓએ અગિયાર અંગેનું અધ્યયન કર્યું. તેમાંથી બાહુમુનિ મુનિઓની વૈયાવૃત્ય કરતા અને સુબાહુમુનિ પરિશ્રાંત મુનિઓને વિશ્રામણ આપતા અર્થાત થાકેલા મુનિઓના અવયવોનું મર્દન વગેરે રૂપ અંતરંગ સેવા કરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy