SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાલકને ભેટો ૧૭૯ ગોવાળની મંડળી ખીર પકાવી રહેલ હતી. ખીર જોઈને ગોશાલકનું મન તે ખાવા માટે, તલપાપડ થઈ ગયું. મહાવીરને નિવેદન કર્યું. મહાવીર કહ્યું- “ખીર પાતાં પહેલાં જ હાંડલી ફૂટવાને લીધે તે ઘૂળમાં મળી જશે.” ગોશાલકે ગવાળાની પાસે જઈ આ વાત કહી દીધી અને પોતે ખીર ખાવાની અભિલાષાથી ત્યાં રોકાઈ ગયો. ભગવાન આગળ વધ્યા. ગોવાળાએ હાંડલીની ખૂબ રક્ષા કરી છતાં પણ ફૂટી ગઈ અને ખીર ધૂળમાં ભળી ગઈ. ૨૫૦ ગોશાલક વિલું મોટું કરીને મહાવીરની પાસે પહોંચ્યું. આ ઘટનાથી તેની ધારણા એવી દઢ થઈ ગઈ કે જે બનવાનું છે તે કદી ટાળી શકાતું નથી. તે “નિયતિવાદ” નો પાકો સમર્થક બની ગયો. ત્યાંથી વિહાર કરીને ભગવાન “બ્રાહ્મણગ્રામ પધાર્યા. તેના બે વિભાગ હતા. એક “નંદ પાટક” અને બીજે “ઉપનંદ પાટક ભગવાન નંદા પાટકમાં નંદના ઘરે ભિક્ષા માટે પધાર્યા. ભગવાનને વાસી ભોજન પ્રાપ્ત થયું. પરંતુ શાંતભાવથી તેમણે તેને સ્વીકાર કર્યો. ગોશાલક ઉપનંદ પાટકમાં ઉપનંદને ત્યાં ભિક્ષા માટે ગયે. દાસી, તાંદુલની ભિક્ષા આપવા લાગી ત્યારે ગોશાલકે મોં મચકોડ્યું અને તેને લેવાનો ઈનકાર કરી દીધું. ગોશાલકના આવા અભદ્ર વ્યવહારથી ઉપનંદ કોપાયમાન થઈ ગયો અને દાસીને કહ્યું – તે ભિક્ષા ન લે તો તેને માથા ઉપર ફેંકી દે. દાસીએ સ્વામીની આજ્ઞાથી ભિક્ષા તેના માથા ઉપર નાખી દીધી. ગોશાલક ગુસ્સે થઈ ગયો. શ્રાપ આપીને બક્ત બને ત્યાંથી ચાલી નીકળ્યો. ભગવાન ત્યાંથી અંગ દેશની રાજધાની ચંપાનગરીમાં પધાર્યા. ૨૫ ગોશાલક પણ સાથે જ હતો. ભગવાને ત્રીજુ વર્ષાવાસ ત્યાં વીતાવ્યું. વર્ષાવાસમાં બબ્બે માસનાં ઉત્કૃષ્ટ આકરાં તપની સાથે વિવિધ આસન અને ધ્યાનયોગની સાધના કરી, પ્રથમ પારણું ચંપામાં કર્યું અને બીજુ ચંપાની બહાર, ભગવાન વર્ષાવાસ પછી કાલાયસન્નિવેશ પધાર્યા ત્યાંથી પત્તકાલાય પધાર્યા અને બંને સ્થાને ખંડેરોમાં ઊભા રહી ધ્યાન કર્યું. બંનેય સ્થળે ગોશાલકે પિતાની વિકારયુક્ત અને અવિવેકી પ્રવૃત્તિના કારણે લેકીને માર ખાધો. ભગવાન તે રાતોની રાત સુધી ધ્યાનમાં લીન રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy