SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ગર્ભના સ્થિર થવાને કારણે શાક મહારાજા સિદ્ધાર્થે આ સાંભળ્યું. તે પણ દોડીને મહેલમાં આવ્યા. મહારાણીની આવી દયાજનક દશા જોઈને તેમની આંખોમાંથી પણ આંસુ સરી પડ્યાં, છતાં પણ ધૈર્ય ધારણ કરીને કહ્યું: “મહારાણી! ગભરાઓ નહિ, ધીરજ રાખે, બધું ઠીક થઈ જશે. અધીરા બને નહિ. મૂલ્સ : तए णं सपणे भगवं महावीरे माऊए अयमेयारूवं अज्झत्थियं पत्थियं मणोगयं संकप्पं समुप्पण्णं विजाणित्ता एगदेसेणं અર્થ: તે પછી શ્રમણ ભગવાન મહાવીર, માતાના મનમાં ઉત્પન્ન થયેલ આ જાતના વિચાર, ચિંતન અભિલાષારૂપ મનોગત સંકલ્પને જાણીને પિતાના શરીરના એક ભાગને હલાવે છે. વિવેચનઃ ભગવાને અવધિજ્ઞાનથી માતા પિતા અને પરિજનોને વિહળ થયેલા જોયા અને વિચાર્યું. किं कुर्म: ! कस्य वा ब्रूमो ? मोहस्य गतिरीदृशी । ___ दुषेर्धातोरिवास्माकं, दोषनिष्पत्तये गुणः ।। “અરે! આ શું બની ગયું. મેં તે માતાના સુખને માટે આ કાર્ય કર્યું હતું તેને બદલે ઊલટાનું આ દુઃખનું કારણ બની ગયું. મોહની ગતિ ઘણી વિચિત્ર છે. જેવી રીતે “દુષ” ઘાતુને ગુણ કરવાથી “દેષ થાય છે તેવી જ રીતે મેં સુખને માટે જે કાર્ય કર્યું તેથી ઊલટું દુઃખ જ પેદા થયું. આવો વિચાર કરીને તેમણે શરીરને એક ભાગ હલાવ્યો. મૂત્ર : तए णं सा तिसला खत्तियाणी हट्टतुट्ठ जाव हियया एवं क्यासि-नो खलु मे गब्भे हडे जाव नो गलिए, मे गम्भे पुटिव नो एयइ इयाणिं एयइ त्ति कटु हट्ठतुट्ट जाव एवं वा વિફા ૧૦ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy