SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર આઠ પુત્રા એ રીતે પાંચસા ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસે। આઠ સિદ્ધુ એક જ સમયમાં થયા. ૪૧ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકી સાથે મે સિદ્ધ થઈ શકે, એકસા આઠ સિદ્ધ એકી સાથે થતા નથી તેવા શાશ્વત નિયમ છે, ૧૪૨ પરંતુ તે થયા તેથી આ થયું, આવશ્યક નિયુકિત ૧૪૩ આદિમાં દસ સહસ્ર મુનિની સાથે ભગવાન શ્રી ઋષભદેવની નિર્વાણ પ્રાપ્તિના ઉલ્લેખ છે, તે પૃથક્ પૃથક્ સમય અને ન્યૂનાધિક અવગાહનાની દૃષ્ટિથી છે, એક સમયમાં એકસા આઠથી અધિક સિદ્ધ થતા નથી,૧૪૪ ૭૪ (૧૦) અસચત પૂજા- સયત સદા પૂજનીય તથા વંદનીય હાય છે પરંતુ સયતની માફક અસયતની પૂજા થવી તે એક મહાન આશ્ચર્ય છે, પ્રસ્તુત અવસર્પિણી કાળમાં ભગવાન સુવિધિનાથના તીમાં એવા સમય આવ્યા કે જે સમયે શ્રમણ અને શ્રમણીએ રહી નહિ અને અસ યતીની જ પૂજા થઇ. એ પણ એક આશ્ચય છે, ૧૪૫ આ દશ આશ્ચર્ય નીચેના તીર્થંકરાના સમયમાં થયેલ છે: (૧) ભગવાન ઋષભદેવના સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એસા આઠ મુનિએ મેસે ગયા. (૨) ભગવાન શીતળનાથના સમયે હિરવશની ઉત્પત્તિ થઇ, (૩) ભગવાન અરિષ્ટનેમિના સમયે શ્રીકૃષ્ણે અપરકકામાં ગયા. (૪) મલ્લિ ભગવતી સ્વયં સ્રી તીર્થંકર થયા, (૫) ભગવાન સુવિધિનાથના તી કાળમાં અસયતની પૂજા થઇ. બાકીના પાંચ આશ્ચર્ય (૬) ગર્ભાપહરણ (૭) ચમરેન્દ્રના ઉત્પાત (૮) અભાવિત પરિષદ્ (૯) સૂર્યચંદ્રનું મૂળવિમાન દ્વારા આકાશમાંથી ઊતરવુ' અને (૧૦) અરિહંતને ઉપસર્ગ તે ભગવાનશ્રી મહાવીરના સમયમાં થયા. ૧૪૬ મૂ अयं च णं समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे माणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स भारिआए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिसि भत्ताए वक्कते ॥ १९ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy