SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર આ પ્રમાણે ખરેખર અરિહંતા, ચક્રવર્તી એ, બળદેવા, વાસુદેવા, ઉગ્ર કુળમાં, ભાગ કુળમાં રાજન્ય કુળમાં, ઈક્ષ્વાકુ કુળમાં, ક્ષત્રિય કુળમાં, હરિવંશ કુળમાં, તથા તેવા પ્રકારના બીજા પણ ઉત્તમ જાતિ ને કુળવાળા વશેામાં જન્મ્યા હતા, જન્મે છે અને જન્મશે, ૬૪ વિવેચનઃ ઉગ્ર કુળ, ભાગ કુળ, રાજન્ય કુળ અને ક્ષત્રિય કુળ આ કુળાની સ્થાપના ભગવાન ઋષભદેવે કરી હતી. રાજ્યની સુવ્યસ્થા માટે રક્ષકદળ બનાવ્યું કે જેના અધિકારી દંડ વિગેરે ધારણ કરવાથી ‘ઉગ્ર’ કહેવાયા. મંત્રી મંડળ બનાવ્યું કે જેના અધિકારી ગુરુસ્થાને હતા તે ‘ભાગ’ નામથી પ્રસિદ્ધ થયા, રાજાના નિકટના માણસા કે જે સમાન વયવાળા મિત્રરૂપમાં સલાહ–સૂચના આપનારા હતા તે ‘રાજન્ય' નામથી વિખ્યાત થયા. બાકીના અન્ય રાજકુળમાં ઉત્પન્ન ક્ષત્રિયાના નામથી એળખાયા ૧૧૦ ભગવાન ઋષભદેવ એક વરસથી કઈંક આછી ઉંમરના હતા ત્યારે નાભિરાજાની ગેાદમાં ક્રીડા કરી રહ્યા હતા, તે સમયે શક્રેન્દ્ર હાથમાં શેરડીના સાંઠા લઈને આવ્યા. ભગવાને હાથ લાંબા કર્યા, ૧૧૧ ત્યારે ઇન્દ્ર વિચાર્યું કે ભગવાન ઇક્ષુની ઇચ્છા કરી રહ્યા છે તેથી તેમના વંશ ઇક્ષ્વાકુ ખના. આ પ્રમાણે ઇક્ષ્વાકુ વંશની સ્થાપના ઇન્દ્રે કરી. ૧૧૨ હિરવર્ષ ક્ષેત્રથી લાવવામાં આવેલ યુગલથી હિરવંશ ઉત્પન્ન થયા.૧૧૩ તથા પ્રકારના અન્ય વિશુદ્ધ જાતિ-કુળ-વશથી, તાત્પર્ય એ છે કે મહાનશક્તિ અને તેજસ'પન્ન યોદ્ધા જેવા મલ્લવી તથા લિચ્છવી રાજવંશના રાજાગણુ, યુવરાજ, મહર્દિક રાજાગણ કે જેના તેજસ્વી વ્યક્તિત્વ ઉપર પ્રસન્ન થઈને પુરસ્કાર આપવામાં આવે એવા વીર, સન્નિવેશ નાયક, કુટુંબના નાયક વગેરે. દેશ આશ્ચર્ય - अस्थि पुण एसे विभावे लोगच्छेरयभूए अनंताहिं ओसप्पिणीउस्सप्पिणीहिं वीइक्कंताहिं समुप्पज्जति, ( ग्रं. १०० ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy