SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ભગવાનના પૂર્વભવે આ રીતે છળ-કપટ કરવું અનુચિત છે.” વિશ્વભૂતિને આ અપમાનથી ઘણે આઘાત લાગ્યો. સંસારથી વિરક્ત થઈ ગયા. તેણે આર્યસંભૂતિ - વિરની પાસે સંયમ અંગીકાર કરી લીધું. ઉત્કૃષ્ટ તપથી આત્માને ભાવતાં તેમણે અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી. ૭ એક વખત વિહાર કરતાં વિશ્વભૂતિ અણગાર મથુરા નગરીમાં આવ્યા. આ બાજુ વિશાખનંદીકુમાર પણ ત્યાંની રાજકન્યા સાથે વિવાહ કરવા ત્યાં આવ્યો હતો અને મુખ્યમાર્ગ ઉપર આવેલ રાજમહેલમાં રોકાયા હતા. વિશ્વભૂતિ અણગાર મા ખમણ તપ કરતાં પારણાના દિવસે ફરતાં ફરતાં ત્યાં નીકળી આવ્યા. વિશાખનંદીના અનુચરેએ મુનિને ઓળખી લીધા અને તે વાત વિશાખનંદીને કહી. મુનિને જોતાંવેંત તેના મનમાં કોધની આંધી ઊઠી. તે રોષભર્યા નેત્રોથી મુનિને જોઈ રહ્યો હતો ત્યારે તરતની વિયાયેલ ગાયના ગોથાથી વિશ્વભૂતિ અણગાર જમીન પર ગબડી પડ્યા.૮ નીચે પડેલા મુનિને ઉપહાસ કરતાં વિશાખનંદીકુમારે કહ્યું: તમારું તે પરાક્રમ કે, જે કપિત્થ પાડતી વખતે જોયું હતું તે આજે કયાં ચાલ્યું ગયું છે?” એમ કહી તે ખડખડાટ હસી પડ્યા. ૧૯ વિશ્વભૂતિ અણગારે પણ આવેશમાં આવીને ગાયના શિંગડા પકડીને, ચક્રની માફક ઘુમાવીને ગાયને આકાશમાં ઉછાળી દીધી અને કહ્યું: “શું દુર્બળ સિંહ, શિયાળથી પણ ઊતરતા હોય છે? આ દુરાત્મા આજે પણ મારા પ્રત્યે દુર્ભાવના રાખે છે? જો મારા તપ, જપ અને બ્રહ્મચર્યનું કંઈ ફળ હોય તે આગામી ભવમાં અપરિમિત બળવાળો બનું.” ૩૦ એ રીતે નિદાન કરીને તે દોષની આલોચના કર્યા વગર જ તેણે આયુષ્ય પૂર્ણ કર્યું. (૧૭) મહાશુક દેવલોક ત્યાંથી આયુષ્ય પૂરું કરીને મહાશુક્ર કલ્પમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. ૧, (૧૮) ત્રિપુષ્ઠ વાસુદેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં તે પિતનપુર નગરમાં પ્રજાપતિ રાજાની મહારાણી મૃગાવતીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. માતાએ સાત સ્વપ્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy