________________
પાઠ-૬
૫. વનસ્પતિકાયના જીવો વનસ્પતિ જીવનું જે શરીર છે તે વનસ્પતિ કાય જીવો કહેવાય છે. તે બે ભેદવાળા છે.
૧ સાધારણ વનસ્પતિકાય
૨ પ્રત્યેક વનસ્પતિકાય અનંતજીવોનું એક ઔદોરિક શરીર પ્રત્યેક આત્મનું પ્રત્યેક શરીર જ , સાધારણ
પ્રત્યેક વનસ્પતિકાય વનસ્પતિકાય
(કંદમૂળ)
સાધારણ વનસ્પતિકાયનું વિશેષ સ્વરૂપ
એક શરીરમાં અનંત જીવોનો વાસ હોવાથી તે અનંતકાય કહેવાય છે. તેનું બીજું નામ નિગોદ કહેવાય છે.
આ અનંતા સમગ્ર જીવોનો આહાર, શરીરરચનાની ક્રિયા એક જ હોય છે. શ્વાસોચ્છવાસ લેવા મુકવાની ક્યિા એક સાથે થાય છે. જન્મ મરણ પણ એક સાથે થાય છે.
એક શ્વાસોચ્છવાસમાં સતરથી વધુ જન્મ મરણ હોય છે. સૂક્ષ્મ નિગોદ ચલુથી અગોચર છે.
સ્થાન - ચૌદરાજ લોકમાં સિધ્ધ શિલા પર્યત સર્વત્ર નિગોદના ગોલક (પિંડ) અસંખ્યતા છે. એક એક પિંડમાં અસંખ્યાતી નિગોદો છે. એક એક નિગોદમાં અનંતા જીવો છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ એક સ્પર્શેન્દ્રિયવાળા આ જીવોનું સ્વરૂપ કેવળીગમ્ય છે. સંસારી જીવો માટે તે શ્રત અને શ્રધ્ધાગમ્ય છે.
29.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org