SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર અનેકવિધ ચેષ્ટાઓના રહસ્યથી નાચી ઊઠતા, અને તેમનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચતો. તેઓ પોતાના પદનું સાન ભાન વીસરી જતા અને કેવળ પરમાત્માના પુણ્ય પ્રભાવને પ્રમોદભાવે નીરખી રહેતા. હે મહાનુભાવો ! ગૌતમના સુખની કોઈ અવિધ ન હતી ! પ્રભુના ચરણના શરણના ગ્રહણમાં એ સામર્થ્ય હતું. પ્રભુની આજ્ઞાને શિરોધાર્ય કરતાં તેમને પોતાનું જ્ઞાન અહંકાર રૂપે બાધક ન હતું. ગૌતમસ્વામી ભદ્રિક તો એવા હતા કે તેઓ દરેક પ્રસંગે પ્રભુ સામે નિર્દોષ ભાવે જોઈ રહેતા, તેથી ક્યારે પણ તેમાં ક્ષણ માત્રની શંકા કે દોષ પોતે જ દૂર થઈ જતા. ગૌતમ કેવા નિર્દોષ ચિત્તવાળા હતા તે નીચેના એક દૃષ્ટાંતથી સમજાશે. આ કાળમાં શિષ્યત્વની સિધ્ધિ કરવા માટે આપણી પાસે ગૌતમસ્વામી જેવું બીજું આદર્શ દ્રષ્ટાંત મળે તેમ નથી; જે શિષ્યત્વભાવે ગૌતમ કેવળજ્ઞાનની લબ્ધિ સુધી પહોંચ્યા હતા. વળી તીર્થંકરોની કરુણા પણ કેવી હોય છે ! પોતાની ઉપસ્થિતમાં જો જીવની પાત્રતા ધ્યાનમાં આવે તો તેને સામે બોલાવીને કૃપા કરી દે છે. તે માટે આ દૃષ્ટાંત બોધદાયક છે. ભગવાન સંસાર ત્યાગ કરી એકાકીપણે વિચરતા હતા, ત્યારે એકવાર ગંગાનદી પાર કરવા નાવમાં બેઠા હતા. એ સમયે પૂર્વ કર્મનો ઉદય થતાં દેવલોકમાં ઉત્પન્ન થયેલા, સુદૃષ્ટ નાગકુમારે અવધિજ્ઞાનમાં ભગવાનને પોતાના વૈરી તરીકે જોયા. અને પળવારમાં ધરતી પર આવીને ગંગાનદીને જોતજોતામાં મહાસાગરરૂપે વિકૂર્વી, ભયંકર ઝંઝાવાત ઊભો ર્યો, નાવ હમણાં ડૂબશે અને સૌ મરણને શરણ થશે તેવા ભયથી નાવના મુસાફરો માં ગભરાટ વ્યાપી ગયો. પણ ભગવાન તો અચલ હતા. એવામાં અન્ય દેવે અવધિજ્ઞાનથી આ પ્રસંગ જોયો, ભક્તિભાવથી પ્રેરાઈને તેણે આ ઝંઝાવાત સમાવી દીધો. નાગકુમાર લાચારીથી પાછો વળ્યો પણ બૈરથી પાછો વળ્યો ન હતો. તે દેવ મરીને એક ગામમાં ખેડૂત ૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy