SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર નિર્જરા તત્ત્વને આત્મસાત્ કરીને પ્રગટ કરતા હોય તેવી તેમની તપ સાધના અદ્ભુત હતી. ઉચ્યૂઢ સરીરે શરીરનો ત્યાગ કરવા વાળા ગૌતમસ્વામીના તપની ફલશ્રુતિ મુખ્યત્વે તો પાપ-કર્મોનો નાશ કરવા માટે હતી. પરંતુ ઉઢ સરીરે ઉપનામધારી ગૌતમસ્વામી શરીર છતાં શરીરના મમત્વથી મુક્ત હતા. શરીર કેવળ આયુર્મના બંધનથી ધર્મને કારણે હતું. તેમની સ્વરૂપધર્મભાવના એટલી ઉચ્ચ હતી કે શરીર ધારણ કરેલું હોવા છતાં કેવળ નભાવવા પૂરતો આહાર આપી તપાદિમાં પ્રવર્તેલું રાખતા. શરીરને માટે અનુકૂળતા કે પ્રતિકૂળતાના, શાતા કે અશાતાના સુખ કે દુ:ખના પ્રવાહથી તેઓ પર હતા. ક્ષુધા-તૃષા જેવા પૌદગલિક ધર્મો તેમને વ્યાકુળતા આપી શકતા નહિ. સર્વ સ્થિતિમાં પ્રસન્ન, ઉત્સુક છતાં ધીર, ગંભીર ગૌતમસ્વામી અધ્યાત્મયોગી હતા. ધોર બંભચેરવાસી ગૌતમસ્વામી જેવા ઘોર તપસ્વી હતા તેવા બ્રહ્મનિષ્ટ પણ હતા. તેમનું પૂર્વ જીવન સંયમ અને તિતિક્ષાયુક્ત હતું. વળી તેઓ બાળબ્રહ્મચારી તો હતા. પરંતુ ભગવાન મહાવીર પાસે ત્યાગ ધર્મ સ્વીકાર્યા પછી તેમનું એ બ્રહ્મવ્રત વધુ ઉજવળતા પામ્યું. તેથી તેમને માટે આ વિશેષણ ઉપયુક્ત છે. આત્મભાવમાં રમણતા એ તેમના બ્રહ્મચર્યનું પ્રદાન હતું. પ્રભુની અનન્ય ભક્તિનું તે ઘોતક હતું. ઘોર તપશ્ચર્યા, દેહાતીત દશા, અને બ્રહ્મચર્યનિષ્ઠ ગૌતમસ્વામીમાં અનેક લબ્ધિઓ પ્રગટ થઇ હતી. પરંતુ ચમત્કારો અને પૌદ્ગલિક મોટાઈથી નિસ્પૃહ હતા, તેથી તેનો વ્યર્થ ઉપયોગ કરતા નહિ, તેથી તેમના જીવન સાથે લબ્ધિના ચમત્કારોની ખાસ ક્થાઓ કે દૃષ્ટાંતો જોવામાં ૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy