SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર ગૌતમસ્વામીની જીવન-સાધના ઇન્દ્રભૂતિ, મહાતપસ્વી અને સર્વજ્ઞ પરમાત્માના શિષ્યપદે પ્રતિષ્ઠિત થયા. એટલે એક નવીજ સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. જો કે તેમનું પૂર્વજીવન ત્યાગ અને તિતિક્ષાવાળું હતું, પરંતુ શ્રમણ અને બ્રાહ્મણની સાધનાની પ્રણાલિમાં ઘણું અંતર હતું. શ્રમણ સાધનાનું મુખ્ય લક્ષ્ય સ્વલક્ષી છે. અને અત્યંત સમદૃષ્ટિનું પ્રવર્તક છે. વૈદિક પરંપરાની સાધના પ્રણાલિ મુખ્યત્વે ક્રિયાપ્રધાન યાને પરલક્ષી છે. પરંતુ સરળ સ્વભાવી અને જિજ્ઞાસુવૃત્તિ ગૌતમસ્વામીએ ભગવાનનું શરણ ગ્રહણ કર્યું પછી પ્રભુની આજ્ઞા એ જ તેમનો ધર્મ અને જીવન હતું. તેમનો સામાન્ય કમ આવો હતો. અંતરમુખ શ્રમણ બાહ્ય કિયાથી પ્રતિબધ્ધ નથી છતાં સાધકદશાને યોગ્ય ચર્યા હોય છે. દિવસ :- પ્રથમ પ્રહર સ્વાધ્યાય, દ્રિતીય પ્રહર ધ્યાન, તૃતીય પ્રહર ભિક્ષાભ્રમણ, ચોથો પ્રહર સ્વાધ્યાય. રાત્રિ :- પ્રથમ પ્રહર સ્વાધ્યાય, દ્રિતીય પ્રહર ધ્યાન, તૃતીય પ્રહર યોગનિદ્રા, ચોથો પ્રહર સ્વાધ્યાય - ગૌતમસ્વામીના તપ વિષે સવિશેષ ઉલ્લેખ મળતો નથી. છતાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉગતવે-ઘોરત છઠ્ઠને પારણે છઠ્ઠની તેમની દીર્ધકાલીન તપશ્ચર્યા હતી. તપ દ્વારા ને ઓ કર્મને નષ્ટ ભ્રષ્ટ કરવામાં પ્રવૃત્ત હતા. સહનશીલતા અને સમતા તે તેમના તપના સહોદર હતા. તપને કારણે તેમની મુખાંતિ સર્વથા ઉજજવળ રહેતી અફ્લેશપણે આરાધેલા તપથી તેમનું શરીર પણ દેદીપ્યમાન હતું. અગ્નિથી જેમ કચરો નાશ પામે તેમ અંતરંગ મલિનતા તેમના તપ દ્વારા ભસ્મ થઈ હતી. શલ્ય રહિત તેમનું તપ કેવળ આત્મસંશોધન માટે જ હતું. કેમ જાણે ભગવાન મહાવીરે નિરૂપિત કરેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy