SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર તેથી તે જેવાં કર્મ કરે છે તેવી ગતિ પામે છે. તેથી પરલોક છે તેનો નિર્ણય થાય છે." આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી સંશય દૂર થવાથી મેતાર્ય પોતાના ત્રણસો શિષ્ય સાથે દીક્ષિત થયા, અને દસમા ગણધરપદને પામ્યા. ૧૧ ગણધર પ્રભાસ શંકા - મોક્ષ છે કે નહિ ? खरामर्य वा यदग्रिहोत्रम् । પ્રભુએ કરલું સમાધાન - હે પ્રભાસ ! તને શંકા છે કે મોક્ષ છે કે નહિ ? વેદપદોનો અર્થ તું એવો કરે છે કે જિંદગી સુધી યજ્ઞાદિ ક્રિયા કરવી, તેથી સ્વર્ગ મળે છે. જો કે એ ક્રિયા દોષમિશ્રિત હોવાથી તે શુભાશુભ બંધનનું કારણ છે. તેથી તે ક્રિયા કરવાથી સ્વર્ગ મળે છે પણ મોક્ષ મળતો નથી તારો આ સંશય નિરર્થક છે. શુભાશુભ કિયાનો આત્યંતિક છેદ થતાં મોક્ષ થાય છે." વેદપદોમાં લખ્યું છે કે, સંસારને વિષે આસક્ત જીવોને મુક્તિરૂપ ગુફામાં પ્રવેશ મળતો નથી. તે નાસ્તિપદથી મોક્ષની સત્તા જણાવે છે. વળી તેમાં જણાવ્યું છે કે જે સ્વર્ગની અભિલાષી છે, તેણે જિંદગીપર્યત યજ્ઞાદિ કરવા, અને મોક્ષના અભિલાષીએ મોક્ષસાધક ક્રિયાઓ કરવી. આવો વેદપદોનો અર્થ છે. મોક્ષસાધકકિયા એટલે શુધ્ધ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે કર્મનો ક્ષય કરવો. સમગ્ર કર્મનો નાશ થવો તે મોક્ષ છે. જ્યાં સુધી શુભાશુભ કર્મને અનુસરતિ ક્ષિા થાય છે ત્યાં સુધી શુભાશુભ કર્મનું ફળ થયા કરે છે. દરેક મનુષ્ય જિંદગીપર્યત યજ્ઞાદિ કરે તેમ કહ્યું નથી. શુધ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે સર્વ કર્મનો ક્ષય થતાં મોક્ષ ઉપજે છે. खरामर्य वा यदग्रहोत्रम् એનો અર્થ એમ થાય છે કે સ્વર્ગના અર્થીએ યજ્ઞાદિ કરવા અને મોક્ષાર્થીએ મોક્ષસાધક સાધના કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy