SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર विज्ञानधन ऐवैतेभ्यो भूतेभ्यः समुत्थाय, तान्येवाऽनुविनस्यति न प्रत्ये संज्ञाऽस्ति - (પ્રથમ ગણધરના વિષયમાં દર્શાવેલ અર્થ જાણવો) "પ્રભુએ કરેલું સમાધાન - “હે મેતાર્ય, શાસ્ત્રોમાં પરસ્પર વિરૂધ્ધ ભાસતાં પદોથી તને સંશય છે કે, પરલોક છે કે નહિ. તું એમ માને છે કે પાંચ ભૂતોમાંથી વિજ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તેમા જ લય પામે છે, તેથી પરલોક જેવું કંઇ છે નહિં. પાંચ ભૂતોમાંથી ચેતન ઉત્પન્ન થાય છે અને એ પાંચ ભૂતો નાશ પામતાં ચૈતન્ય નાશ પામે છે. ચૈતન્ય એ પાંચ ભૂતોનો ગુણ છે. તે પાણીના પરપોટાની જેમ ભૂતો સાથે નાશ પામે છે, તેથી પરલોક નથી." “બીજી બાજુ તારી જાણમાં છે કે યજ્ઞ કરનાર સ્વર્ગમાં જાય છે, તે પરથી પરલોક છે તેમ જણાય છે. આમ પરસ્પર વિરૂધ્ધ કથનથી તને શંકા રહી છે. પણ તારો એ સંશય અયુક્ત છે.” “વિજ્ઞાનધનનો અર્થ દર્શન, જ્ઞાન, ઉપયોગ છે. તે ગુણયુક્ત આત્મા જાણવા યોગ્ય જ્ઞેય પદાર્થોને જાણે છે. તે ઉપયોગ દ્વારા પૃથ્વી વિગેરે ભૂતો-પદાર્થોને કે તેમાંથી ઉત્પન્ન થતાં ઘડો, વસ્ત્ર વગેરેને જાણે છે. તેથી જ્ઞાનઉપયોગ જ્ઞેય પ્રમાણે થતો જણાય છે. વળી, ઘટ, વસ્ત્ર આદિનો શેયપણે અભાવ થતાં તે તે જ્ઞેયપણે વર્તતો ઉપયોગનો વિનાશ થાય છે, અને બીજા પદાર્થના ઉપયોગરૂપે આત્મા ઉત્પન્ન થાય છે, અથવા સામાન્યરૂપે રહે છે." “આમ પૂર્વના શેયપણે ઉપયોગરૂપે આત્માની અવસ્થા ન રહેવાથી, નવીનપણે ઉપયોગ ઉત્પન્ન થવાથી ઘટાદિ ભૂતોની અપેક્ષાએ આત્માના ઉપયોગની ઉત્પત્તિ તથા વિનાશ વેદપદોમાં જણાવ્યા છે. તેથી ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે તેમ સમજવાનું નથી. ચૈતન્ય એ ભૂતોનો ધર્મ નથી, પણ આત્માનો ધર્મ છે. તે કોઇ સંયોગથી ઉત્પત્તિ કે નાશ પામતો નથી. આત્મા દ્રવ્યરૂપે નિત્ય રહે છે અને જ્ઞાનની અવસ્થા બદલાય છે. Jain Education International For Private & Personal Use Only ૬૩ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy