SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ લધિ તણા ભંડાર આત્માને બંધમોલ ન હોય તેમ તું માને છે. અને બીજા વાક્યો મોક્ષની પ્રરૂપણા કરે છે. તેથી તું શંકામાં પડ્યો છે. अशरीरं ता तसन्त प्रियाप्रिये न स्पृशतः અર્થાત શરીરરહિત મુક્ત થએલા લોકના અગ્રભાગમાં વસતા આત્મા સુખ-દુ:ખથી પર છે. આ વાક્યો તું જાણે છે. આ વેદવાક્યથી સ્પષ્ટ થાય છે કે આત્માને કર્મબંધ છે. મુક્તિ પણ છે. તે વેદવાક્યોનો સાચો અર્થ આ પ્રમાણે છે. स एष विगुणो विभुः વિગુણ એટલે સંસારીપણાના ભાવરહિત, વિભુ એટલે કેવળજ્ઞાન સ્વરૂપે સર્વવ્યાપક એવો તે આત્મા મુક્તાત્મા છે. न बध्यते - શુભાશુભ કર્મબંધનહિત છે. કર્મ બાંધતો નથી કારણ કે મુક્તાત્માને કર્મબંધનના કારણભૂત મિથ્યાદર્શનનો અભાવ છે. ને સંરતિ વા – મુક્તાત્મા કર્મબંધરહિત હોવાથી તેને સંસારનું પરિભ્રમણ હોતું નથી. મુવ્યતે – પોતે સ્વયં કર્મથી મુક્ત છે તેથી તેને કર્મથી મુકાવાપણું નથી. ને મોવતિ વી - કર્મનો અંશ ન રહેવાથી તેને પુન:અવતાર લેવાનો નથી, તેથી તે અન્યને કર્મથી મુકાવતો નથી न एष बाह्याभ्यंतरं वा वेद - આવો મુક્તાત્મા બાહ્ય પદાર્થોના નિમિત્તથી સુખ પામતો નથી કે ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy