SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર અગ્નિસંસ્કાર આપે તો તે શિયાળ થાય. આ વિરોધી વાક્યો છે. વળી તું માને છે કે જેવું બીજ અનાજનું હોય તે પ્રમાણે અનાજ થાય છે. ઘઉં વાવે તો ઘઉં ઊગે પણ બાજરી ન ઊગે તેમ માનવ મરીને માનવ અને પશુ મરીને પશુ થાય" - હવે તું વિચાર કર કે મનુષ્ય દૂર પરિણામવાળો હોય, ઘોર કર્મ કરતો હોય તો તેનાં કર્મ પ્રમાણે તેને પણ આદિનો જન્મ મળે. જો તેમ ન થાય તો તેનાં કરેલાં કર્મનું ફળ નિષ્ફળ જાય. જો તે સરળ ચિત્તવાળો હોય, સુકૃત્ય કરનારો હોય તો મનુષ્યગતિ કે દેવગતિ પામે. ' હવે જો પશુ આદિ જીવોનાં પરિણામો સરળ હોય તો તેમની કેટલી શુદ્ધિ થવાથી કે દુઃખ સહન કરવાથી તેઓ સદ્ગતિ પામી શકે. જો તેમ ન બને અને પશુ પશુ જ રહે તો તેના આત્માનો વિકાસ કેવી રીતે થાય? વળી ઘઉંના બીજમાંથી ઘઉં થાય તે વાત સાચી ને ઘઉં અર્થાત વનસ્પતિરૂપે એ પુદગલ છે તેમાં જે ચેતના છે - આત્મા છે તે કંઈ ઘઉં રૂપે નથી પણ ભિન્ન છે. ઘઉં એ શરીર છે અને જ્યાં સુધી તેમાં જીવનો સંચાર છે તે ચેતના, બન્ને ભિન્ન છે. તેથી ઘઉંના બીજમાંથી ઘઉં ઉત્પન થાય તેમાં આત્મા કર્મ પ્રમાણે સંચરે છે. આ પ્રમાણે પ્રભુનાં વચનનું શ્રવણ કરીને સુધર્મા પંડિત સંતુષ્ટ થયા. પાંચસો શિષ્યો સાથે તેમણે દીક્ષા ગ્રહણ કરી. પ્રભુના ચરણનું શરણ લઈ - પાંચમાં ગણધર થયા. ૬. મંડિત પંડિત તેમને શંકા હતી કે આત્માને કર્મબંધ અને કર્મથી મોક્ષ છે કે નહિ? હે મંડિત ! તું જાણે છે કે આત્મા તો સત્વ, રજસ અને તમોગુણ રહિત છે, સર્વ વ્યાપક છે, તેથી શુભાશુભ કર્મથી રહિત છે. તે સંસારમાં પરિભ્રમણ જ કરતો નથી તો પછી એનો મોક્ષ પણ કેમ હોય ? આત્મા સદા અસંગ છે. તેને બંધ કેવી રીતે હોય? ૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy