SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર સમયે અવસ્થા બદલાય છે, પણ તેથી મૂળ દ્રવ્ય આત્મા નાશ પામતો નથી. જગતના પદાર્થો માત્ર જ્ઞેયરૂપ છે. જ્ઞાનગુણ દર્પણની જેમ સ્વચ્છ હોવાથી તેમાં તે શેયો - જણાવા લાયક પદાર્થો પ્રતિબિંબિત થાય છે. તેથી જ્ઞાન શેયાકાર થતું જણાય છે. અને શેયના બદલવાથી જ્ઞાન બદલાય છે પણ શાતા નાશ પામતો નથી." “હે ઇન્દ્રભૂતિ! ભૂતોના નાશ સાથે આત્મા નાશ પામતો નથી. જો નાશ પામે તો કર્મબંધ કે મોક્ષ પણ ઘટતા નથી. આત્મા કોઇ સંયોગો વડે ઉત્પન્ન થતો નથી, કે કોઈના વિયોગથી નાશ પામે. જડ એવા ભૂતોથી આત્માની ઉત્પત્તિ થવી સંભવતી નથી, કારણ કે જડ પદાર્થોનાં લક્ષણો અને ચેતનાનું લક્ષણ ભિન્ન છે. જગતના સર્વ પદાર્થોથી આત્મા-ચેતના ગુણ લક્ષણે ભિન્ન જણાઈ આવે છે, વળી પાંચ ભૂતોથી આત્મા ભિન્ન ન હોય તો દૃશ્ય જગતનું જ્ઞાન કોને થાય ? ” ઘટ પટ આદિ એ પુદ્ગલોનો - ભૂતોનો સમૂહ છે, તેને આત્મા જ્ઞાન ઉપયોગ વડે જાણે છે. ઘટપટાદિ આત્માથી ભિન્ન છે તેમ દેહ પણ આત્માથી ભિન્ન છે. પરંતુ એકજ ક્ષેત્રમાં વ્યાપીને રહ્યા હોવાથી અભિન્ન જણાય છે. પણ તે બંન્ને પોતાનાં લક્ષણોથી ભિન્ન છે. ઘટપટાદિ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા અને જડ છે. આત્મા ચૈતન્ય લક્ષણે યુક્ત છે. ઘટપટાદિને જે જાણે છે, તેનો તું સ્વીકાર કર કે તે જાણનાર તે આત્મા છે. “આત્માનો ગુણ જ અવિનાશી છે. બહારની અવસ્થાઓ બદલાય છે. જેમ કે શૈયો - પદાર્થોને જોઈને જ્ઞાન પરિણમતું જણાય છે. એક દેહનો વિયોગ થતાં આત્માનો વિયોગ જણાય છે. પણ તેનો નાશ થતો નથી. કર્મયોગે તે બીજું શરીર ધારણ કરે છે. જગતમાં મૂળ વસ્તુનો અર્થાત્ પદાર્થનો નાશ સંભવતો નથી. પુદ્ગલ - શરીર બળી જતાં, રાખ થઇને પરમાણુ કે રજકણરૂપે પરિણમી વળી તે માટીમાં ભળે છે, અને પરમાણુના સમૂહરૂપે થઇ ને અન્ય શરીરોમાં પોતાનું સ્થાન લે છે. પણ પરમાણુપણે ક્યારેય મૂળ વસ્તુનો નાશ થતો નથી.” ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy