SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તાણા ભંડાર ધામધૂમથી ઊજવાયા ત્યાં તો મોટી આફત ઊભી થઈ. કમભાગ્યે કોઈ એક બળવાન વિદ્યાધર ધનમાલાને લગ્નમંડપમાંથી જ ઉપાડી ગયો. ધનમાલા તેની સાથે સુખેથી રહેવા લાગી. વેગવાન આ પ્રસંગથી વૈરાગ્ય પામ્યો. તે વિચારવા લાગ્યો કે આ સંસારમાં સંયોગ-વિયોગની કેવી વિચિત્રતા છે, હું જેને ઈચ્છું તે અન્યને ઈચ્છે ! આવા સ્નેહથી સુખ કેમ મળે ? આવા મંથન વડે તે ઉદાસીનભાવે સમય વ્યતીત કરવા લાગ્યો. વેગવાનનો એક મંત્રી ધીસખા હતો. તે ઉત્તમ ગુણોવાળો હતો. તે વેગવાનને યોગ્ય સલાહ આપતો. બંને વચ્ચે મૈત્રીભાવ પણ હતો. વેગવાનની આવી દશા જોઈ તે તેની પાસે નિરંતર રહેતો અને તેને પ્રસન્ન કરવા પ્રયત્ન કરતો. યોગાનુયોગ એ નગરીમાં જ્ઞાની આચાર્ય ભગવંતની પધરામણી થયાના સમાચાર મળ્યા. તેમના બોધથી પ્રતિબોધ પામી વેગવાન અને ધીસખાએ સંસારનો ત્યાગ કર્યો. આ બાજુ ધનમાલા વિદ્યાધર સાથે વિષયસુખ ભોગવતી સમય પસાર કરે છે. પરંતુ આખરે તેને વાસ્તવિક્તાનું ભાન થતાં પોતાની ભૂલ સમજાય છે. વળી તેની જાણમાં આવ્યું કે વેગવાને સંસારનો ત્યાગ કર્યો છે. ત્યારે તેણે પણ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા સંસારનો ત્યાગ કરી દીક્ષાવ્રત ગ્રહણ કર્યું આ ત્રણે આત્માઓએ ઉત્તમ આરાધના કરી પુણ્ય ઉપાર્જન કર્યુ તેના ફળસ્વરૂપે આયુકર્મ પૂર્ણ થતાં તેઓ સ્વર્ગલોકમાં ઉત્પન્ન થયા. આ ત્રણે ઉત્તમ સાધકો ભગવાન મહાવીરની નિશ્રામાં સાધના કરી સિદ્ધપદને પામશે. મંગલ શ્રેષ્ઠીનો જીવ તે આપણા કથાનાયક ગૌતમ સ્વામી છે. Jain Educat International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy