SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર ભવ ૫. વેગવાન - મંગલ વેગવાને મુનિપણામાં વીતરાગ માર્ગની ઉત્તમ આરાધના કરી. સંયમ માર્ગે શુધ્ધ ચારિત્ર પાળ્યું. આમ તો શુધ્ધ ચારિત્રની ફળશ્રુતિ મોક્ષ છે. પરંતુ જો તે ચરમદેહી ન હોય તો પુણ્યયોગે ઉત્તમ દેવલોક પ્રાપ્ત થાય છે. આ પ્રવિત્ર આત્મા ભગવાન મહાવીરનો અપૂર્વ યોગ પામવાના હતા. સંયમના આરાધન વડે તેઓ આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયા. દેવલોકના સુખ ભોગવતાં છતાં પૂર્વ સંસ્કાર બળે જિનભક્તિ કે દર્શન દ્રારા જીવનને ઉજવળ રાખતા હતા. કાળક્રમે દેવાયુપૂર્ણ કરીને વેગવાનનો જીવ બ્રાહ્મણકૂળમાં ગૌતમ ઈન્દ્રભૂતિ તરીકે જન્મ્યો. ધનમાલાનો જીવ સંવર ગામમાં સિધ્ધ રાજાની રાણીની કુક્ષિથી સ્પંદક કાત્યાયન નામે જન્મ્યો. ધીસખા મંત્રીનો જીવ ચંપા નગરના તિલક શ્રેષ્ઠીની શીલવતીની કુક્ષિથી વૈશ્યકૂળમાં પિંગલક નામે જન્મ્યો. સન્મિત્રો બનીને કરેલી સાધના ચિત જીવને તેવો સહયોગ આપવા ઉપકારી બને છે. આ ત્રણે આરાધક મિત્રો અંતિમ ભવમાં ભગવાન મહાવીરની નિશ્રા પામી ભવસાગર તરી જશે. ચોથા આરાના અંતમાં ઈન્દ્રભૂતિ જેના પટશિષ્ય થઈ, ગણધરપદ પામી ભવસાગર તરી જશે, તેવા તેમના પરમગુરુ શ્રી મહાવીર ભગવાનની કથાનો સંક્ષિપ્ત સાર અત્રે ઉપયોગી થશે. ભગવાન શરદઋતુનું કુમુદ જેમ પાણીને દૂર કરે છે, તેમ તું તારી આસક્તિ દૂર કર, એમ સર્વ પ્રકારની આસક્તિથી અલગ થવા, હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર Jain Education International For Private & Personal Use Only ૨૫ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy