SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર શિશુવયને સુખરૂપ વ્યતીત કરી વેગવાન યૌવનપણાને પામો. રાજયને યોગ્ય ઘણી વિદ્યાઓ પ્રાપ્ત કરી. વળી તપ દ્વારા અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી. યુવરાજ પદે સ્થાપિત થયો. સુધર્માનો જીવ પણ દેવલોકથી આવન કરી માનવદેહે ઉત્પન્ન થયો. તે દેવલોકમાં અન્ય દેવી સાથે માયાચાર કરવાના ફળરૂપે પુત્રીપણે ઉત્પન થયો હતો. પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર ધનવતી વિજ્યમાં તરંગિણી નગરી. ધનદેવ વણિક આ નગરીમાં વસે તેને ધનવતી નામે ગુણિયલ પત્ની તેની કુક્ષિમાં ધનમાલા પુત્રી જન્મી. ધનમાલા કુળ પરંપરાને યોગ્ય પુત્રીરત્નને પ્રાપ્ત સર્વ વિદ્યાઓમાં નિપૂણ થઈ હતી એકવાર વેગવાન વિદ્યાધર આકાશમાર્ગે પોતાના વિમાનમાં ગમન કરતો હતો, ત્યાં તે તરંગિણી નગરી પર થઈને પસાર થતો હતો, તે વખતે તેણે એક મેહલના ઝરૂખામાં સૌંદર્યવાન ધનમાલાને જોઈ. સોળે કળાએ ખીલેલા યૌવનને જોઈને વેગવાન એ રૂપ પર મોહી પડયો, અને તરત જ તેણે ધનમાલાનું હરણ કરી પોતાના મહેલમાં લઈ આવ્યો. તેણે ધનમાલાને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું પણ અપહરણથી લોભ પામેલી ધનમાલાએ લગ્નપ્રસ્તાવનો સ્વીકાર કર્યો નહિ. સદાચારી વેગવાન તેની ઈચ્છા વિરુધ્ધ લગ્ન કરવા માંગતો ન હતો. આથી તેને ધીરજપૂર્વક સમજાવવા લાગ્યો, છતાં ધનમાલા માની નહિ. તેથી વેગવાને નિરાશ થઈ આહાર પાણીનો ત્યાગ કર્યો અને ધીરજથી દિવસો પસાર કરવા લાગ્યો. આ બાજુ ધનમાલાને પણ કંઈ માર્ગ સૂઝતો નહિ હોવાથી નિરૂપાયતા જાણી, તે લગ્ન કરવા તત્પર થઈ. વેગવાન ખુશ થયો. તેમના લગ્ન ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy