SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર અનશન લીધું છે. હવે છેલ્લા સમયે છોડાવવું ઠીક નથી. તેથી તેઓ તેને સંખનાનો મહિમા સમજાવતા રહ્યા. મંગલની વ્યાકુળતા વધતી ગઈ, આથી તેમના પરિણામ પણ પલટાઈ ગયા ને વિચારવા લાગ્યા કે અહો ! આ પરિવાર માટે મેં જીવનભર કેવો પરિશ્રમ ઊઠાવ્યો? પણ ખરેખર આ સૌ સ્વાર્થી છે. સુધર્મા પણ તેમના પક્ષનો છે. આ સૌ કેવા દૂર છે કે મને એક ખાલું પાણી પણ આપતાં નથી ! મારા દુ:ખની પણ તેમને કંઈ પડી નથી અહો ! જળમાં રહેલા માછલાં મારા કરતાં સુખી છે. તેમને અહોરાત્ર પાણીનું સુખ વર્તે છે. પરિણામની કેવી વિચિત્રતા? ભવિતવ્યતાનું કેવું પ્રાબલ્ય? આ ભિવતવ્યતાના જોરે પરિણામની પડતી થતાં મંગલ શ્રેષ્ઠી અંતિમ ક્ષણોમાં પાણી-પાણી પોકારતા રહ્યા. દેહ છૂટી જતાં જળમાં માછલાનો જન્મ પામ્યા. કેમ જાણે માછલાં જળમાં સુખી છે તેવું પ્રમાણપત્ર મેળવવાનું હોય? વાચકને થશે તો પછી વ્રત-સંયમ પાળ્યા હતાં તેનું શું થયું ? જો વ્રતપાલન પછી પણ જીવના પરિણામની આવી વિચિત્રતા હોય તો વ્રતાદિનો શો અર્થ છે? ભાઈ ! તારો પ્રશ્ન સાચો છે. અંતિમ સમયના કર્મની વિચિત્રતાનું જેમ પરિણામ આવે છે; તેમ જીવે કરેલી આરાધના પણ તેનું કાર્ય સિદ્ધ કરે છે. તે આપણે આગળ જોઈશું. આરાધનાનું સત્વ પણ યોગ્ય સમયે પ્રગટ થાય છે. ધર્મમાં શ્રદ્ધા કરવા છતાં તેને કાયાથી સ્પર્શ કરવો, અર્થાત ધર્માચરણ કરવું દુર્લભ છે, કારણ કે જગતના જીવો કામભોગોથી મોહિત થયેલા છે. માટે હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર. . Jain Education ternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy