SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર ઓને નિર્દોષ આહારનું આદરપૂર્વક દાન કરીશ. આ બાર વતમાં દોષ ન લાગે તેમ પાળવાની સાવધાની રાખીને મંગલ શ્રાવક વ્રતોનું પાલન કરતા હતા. વણ થંભ્યો સમય સુખેથી વ્યતીત થઈ રહ્યો હતો. એવામાં મંગલ માંદા થયા ઘણા ઉપચાર કરવા છતાં દર્દ શમ્યું નહિ દિનપ્રતિદિન દઈની પીડા વૃધ્ધિ પામતી ગઈ. પત્ની, પુત્ર, મિત્ર અને અનુચરો સેવામાં હાજર હતા પણ વેદના લેવા કોણ સમર્થ બને ? તે તો દરેક આત્માએ પોતે જ ભોગવવી પડે છે. મંગલ વ્રતધારી શ્રાવક હતા શરીરની વ્યાધિથી વ્યાકુળ થાય તેવા ન હતા. આત્મા અને દેહનો સંબંધ જાણતા હતા. અશાતાનો ઉદય જોતા હતા પણ જયારે વ્યાધિ શમ્યો નહિ ત્યારે તેમણે સમજી લીધું કે હવે દેહ છૂટવાની તૈયારી છે. મૃત્યુને નજીક જાણી સહર્ષ તેનો સ્વીકાર કર્યો. તેમણે સર્વ પરિગ્રહાદિની મૂર્છાનો ત્યાગ કરી સર્વ સંસારના પ્રકારોથી મુક્ત થઈ ધર્મના શરણ સહિત અનશન ગ્રહણ કર્યું. કેવી ઉચ્ચ ભાવનાઓ હતી? મૃત્યુનો ભયરહિત સહર્ષ સ્વીકારી પણ ભવિતવ્ય કંઈ જુદું જ હતું. બન્યું? ગ્રીષ્મઋતુનો એ કાળ હતો. અનશનધારી મંગલ શુભ અધ્યવસાયમાં પ્રવૃત્ત હતા. સુમંગલા અને સુધર્મા તેમને સતત ધર્મભાવનાની પ્રેરણા આપતા હતા. થોડા દિવસ પસાર થયા પછી અસહ્ય ગરમી પડવા લાગી. પશુપંખી તરફડે તેવી ગરમીમાં અનશનધારી મંગલનો કંઠ સૂકાવા લાગ્યો. તેમની સમતા છૂટી ગઈ, અને પરિણામે વિષમતા ગ્રહણ કરી તૃષાની વેદનાથી મંગલનો જીવ તરફડવા લાગ્યો. સમતા ઓસરતી ગઈ, અને શ્રધ્ધાની સીમા તૂટી ગઈ. મંગલનો જીવ પાણી-પાણી પોકરવા લાગ્યો. પત્ની તથા મિત્ર પાસે જ હતાં. તેઓ જાણતાં હતાં કે મંગલે આજીવન ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy