SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર દ્વાદશાંગીરૂપે સૂત્રબધ્ધ કરી. ત્યાર પછી તેનો શાસ્ત્રબધ્ધ વિસ્તાર થતો રહ્યો. તે સતવાણીનું સાધકો શ્રવણ કરી સન્માર્ગને પામે છે. આજનો બિહાર પ્રાંત તે મળે મગધ સામ્રાજ્ય તરીકે પ્રસિદ્ધ હતો, તે જેવો ધનધાન્યથી સમૃધ્ધ હતો, તેવો ધર્મનાં અનેકવિધ સ્થાનોથી, અને પ્રકારોથી સમૃધ્ધ હતો. મુખ્યત્વે વૈદિકપરંપરા, શ્રમણ સંસ્કૃતિ અને બૌધ્ધ પરંપરાઓ તે કાળે વિશેષ પ્રસિધ્ધિમાં હતી. મગધની એ ભૂમિ પર એવા ધર્મધૂરંધરો પેદા થયા, કે જેમણે ધર્મોના કે રહસ્યો પ્રગટ કર્યા અને તે દ્વારા સાચા સુખને પ્રાપ્ત કરી, જનસમૂદાયને એ માર્ગ માટે પ્રોત્સાહિત કર્યા. તે કાળની પ્રણાલિ પ્રમાણે ધર્મવિદો, વાદવિવાદ અને સંવાદ દ્વારા પોતાની જ્ઞાનગંગાને ગુંજતી રાખતા. વાદમાં જેની જીત થતી તેનું પ્રભુત્વ જનસમાજ પર રહેતું. તે રીતે ધર્મના પ્રવાહો પણ પરિવર્તન પામતા. જો કે કોઈ સધર્મ વાદ પર નભતો નથી. છતાં પોતાના મતને સાચો ઠરાવવા કેટલીક વિપરીતતાઓ, કદાગ્રહો અને મતમતાંતરો, અસ્તિત્વમાં આવ્યા હતા. તે કાળે એક બાજુ ધર્મભાવનાના ઉત્તમ તત્ત્વો જીવોને લાભદાયી હતા, તો બીજી બાજુ વર્ણભેદ અને હિંસાયુક્ત યજ્ઞોએ માનવતાની ઉચ્ચ ભાવનાને આંચ પહોંચાડી, જેનાં પરિબળો આજે પણ પ્રત્યક્ષપણે જણાય છે. તે કાળે તે સમયે વર્ણભેદ જેવી વ્યવસ્થા સમાજને ચિત સુવ્યવસ્થિત કરવા માટે હોય તો પણ સમય જતાં વર્ણભેદમાં એક વિક્રિયા પેદા થઈ કે માનવ, માનવથી દૂર થતો ગયો. તેમાં ધૃજાતિ પ્રત્યેનો વર્તાવ શુદ્ર બનતો ગયો. તેઓને સમાજના કે માનવના વિકસિત જીવન માટે કોઈ સાધનોનો કે શિક્ષણનો લાભ પ્રાપ્ત થતો નહિ. આથી એક બાજુ ધર્મથી ધમધમતી ધરા પર ધર્મધૂરંધરોની પ્રસિધ્ધિ વૃધ્ધિ પામતી હતી, ત્યારે બીજી બાજુ શૂદ્રજાતિનો માનવ પશુ દશામાં મુકાઈ ગયો હતો. તેમની છાયાને પણ પાપ માનવામાં આવતું હતું. આવી હીનદશામાં જીવતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy