________________
લબ્ધિ તણા ભંડાર
ઈન્દ્રભૂતિ ગૌતમ ગણધરની જીવનકથા
વિશ્વવંદ્ય વિભૂતિ ગૌતમ ગણધરથી જૈનધર્માવલંબી સાચો જિજ્ઞાસુ સુપરિચિત હોય તે સ્વાભાવિક છે. પરમાર્થપથી આત્મસાધક ગૌતમસ્વામી પ્રત્યે ગુરભાવે આદરવાળો હોય છે. વ્યવહારપક્ષી પણ ગૌતમસ્વામીનું નામ ચોપડે ચઢાવવું ચૂકતો નથી.
શ્રી ગૌતમસ્વામીની લખિ હોં. ધર્માભિલાષી અને ધનાભિલાષી સૌના હૃદયમાં વસતા ગૌતમ ગણધરના ગુણો, લબ્ધિઓ, રિધ્ધિઓ અને સિદ્ધિઓ એવી હતી કે સૌ પોતાને યોગ્ય મર્મ ગ્રહણ કરતા છતાં આગમો દ્વારા સવિશેષતા એ જાણવા મળે છે કે ગૌતમસ્વામીની દેશનાલબિ અદ્દભૂત હતી. તેમના વચનબાણથી શ્રોતા મોતીની જેમ આરપાર વીંધાઈ જતાં અને સંસાર સાગર સહેલાઈથી તરી જતા.
તે મળે તે સમયે છવીસસો વર્ષ પહેલાનો યુગ ધર્મપ્રભાવક હતો. આ ભારતની ભૂમિએ તેના ઉદરમાં વિવિધ ધર્મોને જન્મ આપ્યો છે. તે ધર્મની કેડીને સતપુરુષોએ કંડારી, આત્મવિશુધ્ધિ તિતિક્ષા અને ત્યાગ વૈરાગ્ય જેવા ઉત્તમ બળો દ્વારા સ્વયં શાશ્વત સુખને સંપ્રાપ્ત કર્યું અને જગતના જીવોને પણ નિર્દેશ કર્યો કે તમે પણ આ માર્ગે ચાલ્યા આવો અહીં જ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ છે.
ત્રીજા આરાના અંતથી માંડીને ચોથા આરાના અંત સુધી, અષભદેવથી માંડીને ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સુધી ચોવીશ તીર્થકો થયા ત્યાર પછી જીવન શુધ્ધિના માર્ગે સાધકો સંતો અને સતી ઓનો પ્રવાહ અવિરતપણે જળવાઈ રહ્યો છે.
વર્તમાન શાસનપિતા ભગવાન મહાવીરના શ્રી મુખે દિવ્યદેશના દ્વારા ત્રિપદી પ્રગટ થઈ ત્યારે મહાપ્રજ્ઞાવંત ગૌતમે તે ઝીલી અને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org