SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર ધન્ય તે અમાવસ્યા ધન્ય તે દિવાળી વીર પ્રભુનું નિર્વાણ ગૌતમસ્વામીનું કેવળજ્ઞાન ધન્ય પ્રભુ મહાવીર ધન્ય ગુરુ ગૌતમ ગણધર ર૫૧૮ જેવા વર્ષના ગાળા સુધી આ મહાપર્વને ભવ્યજનો ઉજવતા આવ્યા છે, અને હજી આ કાળના અંત સુધી ઉજવતા રહેશે. ગુર શિષ્યના જીવનની પવિત્રતાના આ અવસરો માનવ જીવનને ધર્મબોધનું પ્રદાન કરે છે. આથી જૈન શાસનમાં દિવાળીનું જેટલું લૌકિક મહાત્મ છે તેટલું જ લોકોત્તર મહાભ્ય પણ છે. ગૌતમ સ્વામી અનંત લબ્ધિના ભંડાર હતા. પણ આ કેવળજ્ઞાન તો એ સર્વ લબ્ધિઓથી પર હતું. ગૌતમ સ્વામીએ પોતાની લબ્ધિઓને ક્યારે પણ પ્રગટ કરી ન હતી, પણ તેમની પ્રતિભા એવી હતી કે જન સમાજ તેમને લબ્ધિના ભંડારરૂપ જાણતી હતી. - ચાર ધાતિ કર્મોની દરેક પ્રકૃતિનો આત્યંતિકપણે નાશ કરી, ગૌતમસ્વામી સંસારથી મુક્ત થયા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેઓ બાર વર્ષ સુધી ગામાનું ગામ વિચરતા રહ્યાં. એમની પાવનકારી જીવનચર્યાજ લોકોને બોધરૂપ થતી હતી. આમ ગોતમસ્વામીનો આયુષ્ય કાળ બાણું વર્ષનો થવા પામ્યો હતો. ગૌતમસ્વામીનું ભગવાનના માર્ગે પ્રયાણ અહો ! કાળની અકળ ગતિ તો જુઓ ! આદિ તીર્થકર ઋષભદેવ હો, કે ચરમ તીર્થંકર મહાવીર હો, કે પરમભક્ત ગૌતમ હો, તેનું રાજ્ય તો એક ચકજ રહેવાનું. અમરતાના વરદાન મેળવીને નિશ્ચિત બેઠેલા માંધાતાઓને પણ તેણે ભૂલામણીમાં નાંખી દીધા છે. તેની મર્યાદા એટલી કે આયુષ્ય કર્મ પૂરું થવું જોઈએ અને જન્મે તેને આયુષ્યની મર્યાદા હોયજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy