SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર સંસારી જીવ જન્મ પછી મરણ પામે છે. જ્ઞાની જન્મ પછી નિર્વાણ પામે છે. આવા અફર નિયમને આધીન ગૌતમસ્વામીના દેહને પણ હવે છૂટવાનો સમય પાકી ગયો હતો. કેવળજ્ઞાની ગોતમપ્રભુના સહજ ઉપયોગમાં આ વાત આવી ગઈ, અને તેઓ રાજગૃહ નગરના વૈભારગિરિ ઉપર પહોંચી ગયા. ત્યાં તેઓ અનશન વ્રતને સ્વીકારીને મહાનિર્વાણ પામ્યા. તેમનો મુક્ત આત્મા ભગવાન મહાવીરની પાછળ સિધ્ધ લોકમાં અનંત આત્માની અવગાહનામાં સદાને માટે સમાઈ સિધ્ધ થયો. આજે પણ રાજગૃહનગરનું વર્તમાન ગુણીયાજી તીર્થ ગુર ગૌતમસ્વામીની અંતિમ સંસ્કારની ભૂમિરૂપે તીર્થધામ તરીકે પ્રસિધ્ધ છે. તે મહાત્માની પુણ્ય સ્મૃતિ આપણા આત્માને પવિત્ર કરે છે. | હે પુણ્યશાળીઓ ! વ્યવહારમાં ચોપડે ગૌતમસ્વામીનું નામ ચઢાવો ત્યારે તેમતા જેવા ગુણોની લબ્ધિની ભાવના કરજો. આજ્ઞાની શિરસાવંઘ શિસ્ત, નિસ્પૃહ ભક્તિ, નિર્દોષ પ્રકૃત્તિ, આ તેમના ગુણોની લબ્ધિઓ હતી. નિરંતર પરમાત્માના સ્મરણને ધારણા કરીને તેમાં જ ધન્યતા અનુભવતા ગૌતમગણધરની વિનમ્રતા આપણને ઉત્તમ બોધપાઠ આપે છે. આવા ગુણોનો ધારક તેજ જન્મમાં સિધ્ધ દશા પામે તે ભક્તિની ફળશ્રુતિ છે. તેમની ભક્તિ કારણ હતી, મુક્તિ કાર્યની સિધ્ધિ હતી. આપણે તેવા થવા ભાવના કરવી આપણે તેવા થવા પ્રયત્ન કરવો આપણે તેવા થવા ભકિત કરવી. - હે ગૌતમ : મોક્ષાર્થીએ બાલજીવોના સંગથી દૂર રહેવું. ગુરુજન કે જ્ઞાનવૃધ્ધ અનુભવી મહાપુરુષોની સેવા કરવી. એકાંતમાં પર્યપૂર્વક સ્વાધ્યાય તથા ગંભીર સૂત્ર-અર્થનું ચિંતન કરવું. જે ગુણથી અધિક કે ગુણથી સમાન નિપૂણ સાથીઘર ન મળે તો કામભોગથી નિરાસત થઈ, પા પોથી દૂર થઈ એકાંતમાં શાંતિપૂર્વક વિચરવું આરાધના કરવી. 0 : દાદા: : - ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy