SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ ન ભંડાર ગૌતમ પાયા કેવળજ્ઞાન - વિરહની વેદનાનો વેગ શમતો ગયો. જેમ જેમ આત્મમંથન ઘેર બનતું ગયું તેમ તેમ તેમના ઉપયોગમાં વાત સમજાતી ગઈ કે સંસારમાં કે મોક્ષમાર્ગમાં કોઈ કોઈનું છે નહિં. દરેકે પોતાનાજ શુધ્ધ પરિણામથી કેવળજ્ઞાન પામે છે. દેવ ગુરની નિશ્રા જીવને બોધ લેવા માટે અવલંબનરૂપ છે. - તેમણે વિચાર્યું કે અહો પ્રભુ ! આપે યોગ્ય જ કર્યું છે. મારા અજ્ઞાનને દૂર કરવા માર્ગ બતાવ્યો. હું આપના આ રહસ્ય બોધને સમજયો નહિ અને મનમાં ઘણા ઉપાલંભ આપ્યામારા એ અપરાધને ક્ષમા કરજે. આમ પુનઃ પુનઃ પશ્ચાતાપ કરીને તેઓ આત્મભાવનામાં લીન થવા લાગ્યા. આત્મભાવનાની ઉચ્ચ શ્રેણી દ્વારા ગૌતમસ્વામી શુક્લ ધ્યાનમાં આરૂઢ થયા અને કેવળજ્ઞાનને પામ્યા. આમ ભક્તિથી રસાયેલું તેમનું હૃદય મુક્તિને ઝંખતુ હતું, તે મુક્તિ વાસ્તવમાં તો ભક્તિની ફળશ્રુતિજ હતી. જો ભક્તિની એટલી પવિત્રતા ન હોત તો, વિરહાગ્નિની જવાળાઓ પણ એટલી તેજ ન હોત, અને વિરહાગ્નિમાંથી જે મંથન ચાલ્યું તેમાં તેઓ વાસ્તવિક ભૂમિ પર આવી ગયા. જ્ઞાન તો હતું જ પણ તેને ચરમસીમાએ પહોંચવા ભગવાન મહાવીરનું નિર્વાણ નિમિત્ત બન્યું હતું. ભગવાનની કઠોરતાનું રહસ્ય છેવટે ગૌતમ સ્વામીના કેળળજ્ઞાનથી કરૂણારૂપે પ્રસિધ્ધિ પામ્યું, કે પ્રભુ કેવા કરૂણાસાગર હતા. ગૌતમ કેવા નિર્દોષ ભક્ત હતા ! અમાવસ્યાની અંધારી રાતને અજવાળાવા જાણે નવા વર્ષની નવલી પ્રભાતે, ગૌતમસ્વામીનું કેવળજ્ઞાન પ્રકાશિત થયું. ગૌતમસ્વામી સ્વયં પોતાના ગુરની જેમ સર્વજ્ઞાની અને સર્વદર્શી થયા. અમાવસ્યાની રાત્રિ અને નવા વર્ષની ઉષા જાણે ઐક્યતાની ધન્યતાને પામી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy