SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ લધિ તણા ભંડાર વગેરેનો ત્યાગ કરવો. ૧૨. વિવિક્ત શયનાદિ :- પશુ-પક્ષી કે નપુંસક વગેરેથી બાધક સ્થાનોનો ત્યાગ કરી સંયમ માર્ગીએ એકાંત સ્થાને રહેવું. ૧૩. શ્રોત્રેન્દ્રિય સંવર :- શ્રવણેન્દ્રિય ઉપરાંત સર્વ ઈન્દ્રિયોને વિષયમાં જતી અટકાવવી, સંવર કરવો. ૧૪. યોગ પ્રત્યાખ્યાન :- શરીર પ્રત્યેના મમત્વને કારણે દેહભાવથી તેની સુખશીલતાનો ત્યાગ કરવો. ૧૫. શરીર પ્રત્યાખ્યાન :- શરીર પ્રત્યેના મમત્વને કારણે દેહભાવથી તેની સુખશીલતાનો ત્યાગ કરવો. ૧૬. કષાય પ્રત્યાખ્યાન :- કોધ, માન, માયા, લોભ જેવા કુસંસ્કારોનો ત્યાગ કરવાનો સંકલ્પ કરવો. ૧૭. સંભોગ પ્રત્યાખ્યાન :- ગૃહસ્થ બ્રહ્મચર્યનું પાલન કરવા મૈથુનનો ત્યાગ કરવો. સાધુમહાત્માએ જનકલ્પીપણું સ્વીકાર કરીને મંડળી વ્યવહારનો ત્યાગ કરવો. ૧૮. ઉપધિ પ્રત્યાખ્યાન :- ઉપધિ - સાધુ મહાત્માઓના ઉપકરણાદિ. વધુ પડતી ઉપાધનો ત્યાગ કરવો ૧૯. વિરાગતા :- સંસારના કોઈ પણ પ્રકારોમાં પુનઃ પુન: રાગાદિભાવ ઉત્પન્ન ન થાય તેમ તેનાથી વિરક્ત થવું. ૨૦. ભાવસત્ય :- સંસારના વ્યવહારમાં, પ્રકારોમાં કે, પ્રસંગોમાં, કે ધાર્મિક ક્ષેત્રોમાં મનમાં દુર્ધાન થવા ન દેવું. મનની શુદ્ધતા જાળવવી. ર૧. યોગસત્ય :- મન, વચન, કાયા સંબંધી કોઈ દુરાગ્રહ સેવવો નહિ. અન્યની સાથેના સંબંધમાં તેને દુષિત થવા ન દેવા. રર. કરણ સત્ય :- પ્રકૃતિની વિશુદ્ધિ જાળવવા, ક્ષમા આદિ ગુણોને શુધ્ધ રાખવા પ્રયત્નશીલ રહેવું. ૧૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy