SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર ૨૩. મન:સમત્વ - અહરણતા :- મન પવન જેવું અત્યંત ચંચળ છે, તેને શુભધ્યાનમાં રોકવું ચંચળ થવા ન દેવું. તે પ્રમાણે વચનશુદ્ધિ જાળવવી. ર૪. કોયત્યાગ :- બોધાદિ કષાયોને શમાવવા. ર૫. જ્ઞાન સંપન્નતા :- મિથ્યાજ્ઞાનનો ત્યાગ કરી સમગજ્ઞાનની વૃધ્ધિ કરવી. આત્મચિંતન, ગુરુવિનય અને એકાંતનું સેવન કરવું. ર૬. દર્શન સંપનતા :- તત્ત્વાદિની શ્રધ્ધામાં નિશ્ચળ રહી દર્શન શુધ્ધિ રાખવી તથા આત્મભાવની સ્થિરતા અને સતપ્રવૃત્તિ દ્વારા સમગચારિત્રની શુધ્ધિ રાખવી. ર૭. વેદના ધ્યાસનતા :- સાધુ મહાત્માએ પરિષહોને સમતા ભાવે સહન કરવા અને સાધકે પ્રતિકૂળતાઓમાં સમતા રાખવી. ૨૮. ઉપસર્ગો સહવા :- મારણાંતિક ઉપસર્ગો નિર્જરાનું કારણ માની સહન કરવા. હે દેવાધિદેવ, પરમતારક, અનંતજ્ઞાની ભગવાન ! આપના સ્વમુખે પ્રકાશ કરે કે આ ૨૮ પદોની આરાધના કરનાર ભાગ્યશાળીને કેવા ફળની પ્રાપ્તિ થશે? મોક્ષ મળશે? ગૌતમસ્વામીએ અત્યંત જિજ્ઞાસાથી પૂછેલા પ્રશ્નોનો ભગવાનશ્રી મહાવીરે પ્રત્યુત્તર આપ્યો કે "હે ગૌતમ ! હે તપસ્વિન ! હે મોક્ષાભિલાષી ! ઉપરોક્ત ૨૮ પ્રકારના સંવેગના સ્થાનોનું આરાધન કરનાર ભાગ્યશાળી સંપૂર્ણ કર્મોનો નાશ કરીને અનુક્રમે ગુણશ્રેણિએ આરૂઢ થઈ મોક્ષફળની પ્રાપ્તિ કરશે. તે સાધક ભરત, ઐરાવત, મહાવિદેહ કે કોઇપણ સ્થાનનો હશે. કોઈપણ જાતિનો હશે. તો પણ તે અવશ્ય આ સાધનાના પરિણામે મોક્ષની પ્રાપ્તિ કરશે. ૧૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy