SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર કોઈક જીવો એવા હોય છે કે સત્યવાણીનો અને તેમને કંઈ મેળ જ નથી હોતો. તેઓ માને છે કે આ કાળમાં સત્ય બોલવામાં કંઈ ડહાપણ નથી. ધનાદિનો લાભ અસત્યથી છે. અને તેવા દાખલા-દલીલો લોકોને કહેતા ફરે છે. પોતે અસત્ય-જૂઠું આચરે છે અને અન્યને તેમ કરવા સલાહ આપે છે. મૃષા બોલવામાં જેને દોષ જણાતો નથી, તેના વિપરિણામનું જેને ભાન નથી, તે માનવોને નિરર્થક વાતોમાં પણ મૃષા ભાષાનો જ મહાવરો પડી ગયો હોય છે, અને તેવું બોલ્યા પછી પોતાની ચતુરાઈ પર ખૂશી થાય છે. પણ તે જીવોની બુધ્ધિ જ ચાલતી નથી કે તેમની મૃષાભાષાનુ પરિણામ દુ:ખદાયી થશે. વર્તમાનમાં પુણ્યયોગે કદાચ તેના ફળ ન જણાય પણ તે યથાકાળે પરિણામ આપ્યા વગર રહેશે નહિ મૃષા આચરવાનું મૂળ પ્રયોજન ધનનો અતિલોભ છે. જે આજીવન સુધીની જ બાજી છે. મરણ થયું કે ધન સાથેનો સંબંધ સમાપ્ત થાય છે; અને તેના નિમિત્તે સર્જેલા કર્મોનું ફળ સ્વયં પોતાને ભોગવવું પડે છે. માટે હિતવાંચ્છુ હોય તેણે તો મૃષાવચન બોલવા નહિ, મૃણાને સાથે ચોરીનો સંબંધ થાય છે. માટે જો તેવી ટેવ પડી હોય તો તેનો ત્યાગ કરવો. મૃષાવચનથી મિત્રનો વિશ્વાસઘાત ન કરવો. વ્યવહારમાં મૃષાવચનથી કોઈને છેતરવાનો પ્રયત્ન ન કરવો. મૃષા સાક્ષી આપવી નહિ, કોઈ પણ પ્રકારે અસત્ય આચરણનો ત્યાગ કરવો, તેમાં જ આપણું શ્રેય છે. સત્યામૃષા : સત્ય હોવા છતાં જેના ગર્ભમાં જૂઠાણું છે, તે સત્યામૃષા છે. જેમકે કોઈએ પૂછ્યું કે તમે અહીંથી જતાં સ્ત્રીઓ અને પુરુષો બંને જોયા. તો તેના જવાબમાં કહે કે મેં પુરુષો જોયાં છે અને સ્ત્રીઓ જોઈ નથી. આવી વાણીમાં કંઈક સત્ય છે અને કંઈક અસત્ય છે. તમે બજારમાંથી કેટલીક વસ્તુઓ ખરીદી લાવો અને કોઈને તે ૧૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy