SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય : પૂર્વસંસ્કારને બળે કે વર્તમાનમાં જીવને સત્યવાણીનું મૂલ્ય સમજાયું હોય, તેવા સદ્ભાગી જીવો વચનનો અસત્ય ઉપયોગ કરતા નથી. વિચાર સહિત સ્પષ્ટ વાચા કેવળ મનુષ્યને મળી છે. તે વાત જો જીવને સમજાય, વળી વાણીનું અસત્ય જીવને કર્મનું બંધન એવું કરાવે છે કે તેને પુન: વાણીનો યોગ મેળવતા દીર્ઘ કાળ વીતી જાય છે. અર્થાત વચનયોગરૂપ જીવા ન હોય તેવો જન્મ એકેન્દ્રિયનો છે, તે વાત માનવમાત્રે વિચારવા જેવી છે, માટે હે ભાઈ ! વાણીનો ઉપયોગ પુષ્ય જાણીને કરજે. પુષ્ય સુવાળું હોય છે અને સુવાસિત હોય છે; તેમ માનવનીવાણી કોમળ અને સુવાસિત અર્થાત હિત, મિત અને સ્વ-પર શ્રેયરૂપ હોવી જોઈએ. હેવાય છે કે છ માસ સુધી જો વાણીનું પ્રબળ સત્ય પાળવામાં આવે, તો માનવને વચન સિધ્ધિ પ્રાપ્ત થાય છે. જેને કારણે તેના મુખમાંથી ઝરતી વાણી સત્યને જ અનુસરે છે. આ કાળમાં એવા મહાનુભાવો છે કે જેઓ સંક્ટ આવે, ધનની હાનિ હોય, કે કદાચ લાભ થવાનો હોય તો પણ સત્યવાણીનો ત્યાગ કરતા નથી. અન્યને બોલવા પ્રેરતા નથી. કે અસત્ય બોલનારને ઉત્તેજન-અનુમોદના આપતા નથી. તેઓ જાણે છે કે સત્ય બોલવાનો અવસર એક માત્ર મનુષ્યને જ મળે છે. આ ઉપરાંત ખોટી સાક્ષી આપવી, વસ્તુમાં મિશ્રણ કરવું, વાતચીતમાં અલ્પાધિકથી કથન કરવું, માયા કપટ કે મમત્વથી અસત્ય બોલવું તેમાં પણ સત્યપ્રિય માનવ અત્યંત જાગૃત રહે છે. તેને આ લોકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને લોકપ્રિયતા મળે છે. મૃષા : અસત્ય : સ્પષ્ટ ભાષાસહિત મળેલો દુર્લભ માનવદેહ મેળવીને હે ભાઈ ! તું મૃષા વચનથી જાતે જ દુ:ખને શા માટે આમંત્રણ આપે છે ? Jain Education International For Private & Personal Use Only ૧૫૫ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy